Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




તિતસને પત્ર 3:9 - કોલી નવો કરાર

9 પણ મુરખાયની વાતુ, વાદવિવાદો, વડવાઓની લાંબી યાદીઓ ઉપર પોતાનો વખત ખરાબ નો કરો. વેર વિરોધ, અને ઈ બાધણાથી, જે મૂસાના નિયમો-કાયદાઓ વિષે હોય, એનાથી બસીને રયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




તિતસને પત્ર 3:9
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો મને ઉપદેશ કરવાનું વરદાન હોય, અને હું બધાય મરમો અને બધીય વિદ્યા જાણતો હોવ, અને હું ડુંઘરાઓને ખહેડી હકુ છું, એવો પુરો વિશ્વાસ મારામાં હોય, પણ મારામાં પ્રેમ હોય નય, તો હું કાય પણ નથી.


હવે મૂર્તિઓને ધરેલા નીવેદ વિષે અમે જાણી છયી કે, આપડે બધાયને જ્ઞાન છે; તોય જ્ઞાન અભિમાન ઉત્પન કરે છે, પણ પ્રેમથી વધારો થાય છે.


લોક વાયકાની ખોટી વાર્તાઓને જોયને ખોટા વખતનો બગાડ કરમાં અને ઈ મુરખતાભરેલી વાર્તાઓ જે પરમેશ્વરને માન નથી આપતી, અને તમે પરમેશ્વરનું જીવન જીવવા હાટુ પોતાને શીખવતા રયો.


આ વાતો વિશ્વાસી લોકોને વારા ઘડીયે કયને યાદ દેવડાવ, અને પરમેશ્વરની હામે સેતવણી દે કે, તેઓ શબ્દોના અરથની વિષે વાદ-વિવાદ નો કરે, એવુ કરવાથી કોય લાભ નય થાય, પણ હાંભળનારા લોકોનો વિશ્વાસ બગડી જાય છે.


પણ જગતની અને નકામી વાતોથી છેટા રયો, કેમ કે આવા લોકો પરમેશ્વરથી વધારે છેટા થય જાય છે.


પણ મુરખ અને અક્કલ વગરનાની હારે વાદ-વિવાદ કરવાથી આઘો રે કેમ કે, તુ જાણ છો કે, એનાથી બાધણું જ થાય છે.


તુ યહુદી લોકોની બનાવટી વાર્તાઓ ઉપર અને એવા માણસોની આજ્ઞાઓ ઉપર ધ્યાન નો રાખ. જે હાસાયથી ભટકી જાય છે.


તમારામા બાધણા અને લડાય ક્યાંથી આવે છે? આ ઈ ખરાબ ઈચ્છાઓથી આવે છે જે તમારી અંદર બાધે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ