15 આયા મારા હાથના વિશ્વાસી લોકો તમને સલામ કરે છે, ન્યા ક્રીતમાં આપડા સાથી વિશ્વાસીઓને જે આપણને પ્રેમ કરે છે, તેઓને સલામ કેજે. હું પ્રાર્થના કરું છું તમારી બધાય ઉપર કૃપા થાતી રેય. આમીન.
જો તમે ખાલી તમારા સબંધીઓને જ સલામ કરો છો, તો તમે બીજા લોકોની હરખામણીમાં કાય હારૂ કરતાં નથી કેમ કે, જો પરમેશ્વરનાં નિયમને નથી પાળતા તો તેઓ હોતન એમ જ કરે છે.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.