Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




તિતસને પત્ર 1:4 - કોલી નવો કરાર

4 હું પાઉલ આ પત્ર તિતસને લખી રયો છું, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મારા દીકરા જેવો છે, પરમેશ્વર બાપ, અને આપડા તારનાર ઈસુ મસીહની તરફથી કૃપા અને શાંતિ તને મળતી રેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




તિતસને પત્ર 1:4
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, આજે દાઉદ રાજાના શહેર બેથલેહેમમાં તમારી હાટુ એક તારનાર જનમો છે, અને ઈ મસીહ પરભુ છે.


ઈ લોકોએ ઈ બાયને કીધું કે, “હવે અમે તારા કેવાથી જ વિશ્વાસ નથી કરતાં કેમ કે, અમે પોતે જ હાંભળી લીધું, અને જાણી લીધું છે કે, જગતનો તારનાર ખરેખર આજ છે.”


મારો કેવાનો અરથ આ છે કે, હું તમને મજબુત બનવામાં મદદ કરય અને તમે મને મજબુત બનાવવામાં મદદ કરશો. તમે મજબુત થય જાહો કેમ કે, તમે જાણો છો કે, હું કેવો વિશ્વાસ કરું છું, અને હું મજબુત થય જાય કેમ કે, હું જાણું છું કે, તમે કેવો વિશ્વાસ કરોશો. એટલે તમારી વસે રયને તમારી હારે ઈ વિશ્વાસથી જે મારામાં અને તમારામા છે, એનાથી મને પ્રોત્સાહન મળે.


હુ તમને ગમાડેલા બધાય લોકોને લખું છું, જે રોમ શહેરમાં રેય છે, જેને પરમેશ્વર પ્રેમ કરે છે, એના પોતાના પવિત્ર લોકો થાવા હાટુ બોલાવામાં આવ્યા. આપડા બાપ પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ તરફથી તમને કૃપા અને શાંતિ મળતી રેય.


મે તિતસને મનાવીને એની હારે એક વિશ્વાસી ભાઈને મોકલ્યો, તિતસે દગો કરીને તમારી પાહેથી કાય પણ લય લીધું નથી. અને આપડે બેય એક જ આત્મામાં એક જ પગલે હાલ્યા છયી.


પણ મારા આત્માને શાંતિ નોતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નય; ઈ હાટુ તેઓથી વિદાય લયને હું મકદોનિયા પરદેશમાં ગયો.


આપણામાં એવો જ વિશ્વાસ છે જેવું ગીતશાસ્ત્ર લખવાવાળામાં હતું જઈ એણે કીધું કે, આપણને પણ ઈ જ વિશ્વાસ છે, ઈ હાટુ બોલે છે.


પણ ઉદાસ લોકોને દિલાસો આપનારા પરમેશ્વરે તિતસના આવવાથી અમને હોતેન દિલાસો આપ્યો.


તમને મદદ કરવા હાટુ અમારા જેટલી પરવા તિતસમાં દેખાડી ઈ હાટુ આપડે પરમેશ્વરનો આભાર માની છયી.


જો કોય મને તિતસના વિષે પૂછે, તો ઈ તમારી મદદ કરવામાં મારા ભાગીદાર છે, અને જો સાથી વિશ્વાસી ભાઈઓની વિષે પૂછે, તો તેઓ મંડળીના લોકો દ્વારા મોકલેલા અને જે કાય તેઓ કરે છે તેઓની દ્વારા મસીહ હાટુ માન મેળવે છે.


ઈ હાટુ આપડે તિતસને હંમજાવ્યો કે, જેવું એણે પેલા શરૂવાતમાં કરયુ હતું, ઈ જ પરમાણે ઈ તમારામાં આ ઉદારતાની કૃપા પુરી કરે.


પણ તિતસ જે મારી હારે હતો અને જે એક બિનયહુદી હતો, તો પણ સુન્‍નત કરાવવાની એને ફરજ પાડવામાં આવી નય.


તમે બધાયે મસીહમાં જળદીક્ષા લીધી અને મસીહના જીવન પરમાણે હાલો છો. ઈ હાટુ તમે બધાય ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાના કારણે પરમેશ્વરનાં દીકરા થય ગયા છો.


મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.


આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા દેખાડે અને તમને શાંતિ દેય.


હું પાઉલ આ પત્ર મસીહમા ઈ પવિત્ર અને હાસા વિશ્વાસી ભાઈઓને લખું છું જેઓ કોલોસ્સી શહેરમાં રેય છે. આપડા પરમેશ્વર બાપ તમને કૃપા અને શાંતિ આપતો રેહે.


આપડા પરભુ ઈસુ મસીહનો હું આભાર માનું છું, જેણે મને સામર્થ આપ્યુ છે, અને એણે મને વિશ્વાસુ હમજીને પોતાની સેવા કરવા હાટુ ગમાડયો છે.


હું પાઉલ ગમાડેલો ચેલો આ પત્ર તિમોથીને લખી રયો છું, પરમેશ્વરે મને એટલા હાટુ ગમાડયો કે, હું ઈસુ મસીહનો ગમાડેલો સેવક બનું, અને પરમેશ્વરે મને ઈ હાટુ મોકલ્યો જેથી હું લોકોને બતાવી હકુ કે, એણે મસીહ ઈસુમાં વિશ્વાસ કરનારાઓને અનંતજીવન દેવાનો વાયદો કરયો છે,


હે તિમોથી, તુ જે મારા દીકરાની જેમ છે, હું પાઉલ તને આ પત્ર લખી રયો છું પરમેશ્વર બાપ, અને આપડા પરભુ ઈસુ મસીહની તરફથી કૃપા, દયા, અને શાંતિ તને મળતી રેય.


કેમ કે, દેમાસે જગતની વસ્તુથી પ્રેમ કરીને મને છોડી દીધો છે, અને થેસ્સાલોનિકા શહેરમાં વયો ગયો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા પરદેશ અને તિતસ દલ્માતી વયો ગયો છે.


હવે ખરા વખતે, પરમેશ્વરે આ હારા હમાસારને આપડી હામે પરગટ કરી અને આપડે એનો પરચાર બધાયની વસે કરી છયી. પરમેશ્વર આપડા તારનારે આ આજ્ઞા આપતા મને જવાબદારી આપી કે, એની હાટુ આ કામ કરૂ.


આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે.


હું સિમોન પિતર જે આપડા તારનાર ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું આ પત્ર લખી રયો છું, હું આ પત્ર પરમેશ્વરનાં ગમાડેલા ઈ લોકોની હાટુ લખી રયો છું જો કે પોન્તસ, ગલાતિયા, ક્પાદોકિયા, આસિયા અને બિથુનિયા પ્રાંતના જુદા-જુદા શહેરોમાં વિદેશીઓની જેમ રેય છે.


આ રીતે પરમેશ્વર તમારો ઈ જગ્યામાં માનપૂર્વક આદર કરશે જ્યાં ઈસુ મસીહ છે, જે આપડો પરભુ અને આપડો તારનાર છે, જે સદાય હાટુ લોકો ઉપર રાજ્ય કરશે.


કેમ કે, જો ઈ આપડો પરભુ અને તારનાર ઈસુ મસીહના જ્ઞાન દ્વારા જગતના ભ્રષ્ટાચારથી બસી ગયા છે પણ પાછા એમા ફસાય જાય છે અને હારી જાય છે, તો એની છેલ્લી દશા પેલાની દશા કરતાય વધારે ભુંડી થય જાય છે.


એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.


હું આવું ઈ હાટુ લખી રયો છું કેમ કે, હું ઈચ્છું છું કે, તમે ઈ વચનોને યાદ રાખો, જે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા કીધા હતાં અને આપડા તારનાર પરભુ ઈસુ મસીહના શિક્ષણને યાદ રાખો, જે તમને ઈ ગમાડેલા ચેલાઓએ દીધુ, જે તમારી પાહે આવ્યા હતા.


અને આપડે પરમેશ્વર હામે જે સાહસ થાય છે, ઈ આ છે કે, જો આપડે એની ઈચ્છા પરમાણે કાક માગી છયી, તો ઈ આપડુ હાંભળે છે.


મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ