એક બીજો દાખલો હાંભળો એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી અને એની આજુ-બાજુ વાડ કરીને દ્રાક્ષારસ છૂંદીને ભેગો કરવા હાટુ કુંડ બનાવ્યો, અને એણે સ્યારેય બાજુ જનાવરથી વાડીને બસાવવા હાટુ કોટ બાંધ્યો. પછી એણે વાડીને કેટલાક ખેડુતોને ભાગ્યું આપી દીધુ અને બીજા દેશમાં લાંબી યાત્રામાં વયો ગયો.
હવે પરમેશ્વરે ઈબ્રાહિમથી વાયદો કરયો કે, “દરેક તારા વંશ દ્વારા આશીર્વાદ પામશે.” એણે આ નથી કીધું કે, તારા વંશ દ્વારા એટલે ઘણાય લોકો, ઈ એક માણસના વિષે વાતો કરે છે, જઈ ઈ કેય છે કે, “તારા વંશ દ્વારા” એટલે એક માણસ ઈ મસીહ છે.
ઈ વખતે તમે મસીહ વગરના હતા. તમે પરદેશી હતા અને પરમેશ્વરનાં ગમાડેલા ઈઝરાયલ દેશના લોકોમાં તમારી ગણતરી કરવામાં આવતી નોતી. પરમેશ્વર પોતાના લોકોને આપેલાં વચનો ઉપર આધારિત કરારોમાં તમારે કોય લાગભાગ નોતો. તમે આ જગતમાં આશા રાખી અને પરમેશ્વર વગર જીવતા હતા.
કેમ કે, ખાલી લોકોને ખાવા, પીવાના વિષે અને બીજા શુદ્ધિકરણની વિષે દેખાડે છે જેના દ્વારા લોકો બારેથી સાફ થય જાય છે, આ વિધીઓને ન્યા હુધી માનવાનું હતું જ્યાં હુધી કે પરમેશ્વર પોતાનો નવો નિયમ લાગુ નો કરે.