Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 8:16 - કોલી નવો કરાર

16 પવિત્ર આત્મા પોતે જ આપડા આત્માની હારે સાક્ષી આપે છે કે, આપડે પરમેશ્વરનાં બાળકો છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 8:16
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

મેળ કરાવનારાઓ આશીર્વાદિત છે, કેમ કે, તેઓ પરમેશ્વરનાં દીકરા કેવાહે.


ઈ જીવનમાં સ્વર્ગદુત જેવા હોવાના કારણે તેઓ કોયદી મરશે નય, અને તેઓ પરમેશ્વરનાં દીકરાઓ છે કારણ કે, તેઓ મરેલામાંથી જીવતા થયા છે.


પણ જેટલાઓએ એનો સ્વીકાર કરયો, તેઓને એણે પરમેશ્વરનાં સંતાન થાવાનો અધિકાર આપ્યો, તેઓ જેઓએ એની ઉપર વિશ્વાસ રાખ્યો છે.


અને અમે આ વાતોના સાક્ષી છયી, અને પરમેશ્વરની આજ્ઞાઓને માનનારાને પવિત્ર આત્મા દીધો, એના હોતન સાક્ષી છયી.”


કેમ કે, જેટલા પરમેશ્વરની આત્માથી દોરાય છે, ઈ જ પરમેશ્વરનાં દીકરાઓ છે.


કેમ કે, સૃષ્ટિ મોટી આશાભરી નજરથી પરમેશ્વરનાં બાળકોને પરગટ થાવાની વાટ જોયા કરે છે.


અને આ ખાલી પૃથ્વી જ નય કે, જે નિહાકા નાખી રય છે પણ આપડે હોતન જેમાં થાનારી મહિમાના પેલાથી સ્વાદ સાખવાના રૂપમાં પવિત્ર આત્માનો વાસ છે અમે પણ, ઈ વખતની વાટ જોય રયા છયી જઈ અમને પોતાના બાળકો બનાવવા હાટુ પરમેશ્વર ઉપાડી લેહે અને અમારા દેહને બધીય દૃષ્તાથી છુટકારો કરાયશે.


આ પરકારે પવિત્ર આત્મા પણ આપડી મદદ કરે છે, જઈ પરમેશ્વરમાં આપડો ભરોસો નબળો છે. કેમ કે, આપડે નથી જાણતા કે, પ્રાર્થના કય રીતે કરવી જોયી પણ પવિત્ર આત્મા આપડી હાટુ નિહાકા નાખીને પ્રાર્થના કરે છે જેને શબ્દોમાં કય હકાતું નથી.


વળી જે જગ્યાએ તેઓને કેવામાં આવ્યું હતુ કે, “તમે મારી પ્રજા નથી.” ઈ જ જગ્યાએ, “તેઓ જીવતા પરમેશ્વરનાં દીકરાઓ કેવાહે.”


એટલે કે, દેહિક રીતે જે જનમેલા છે તેઓ પરમેશ્વરનાં દીકરા નથી, પણ વચનના દીકરા જ ઈબ્રાહિમના વંશજો ગણાય છે.


કેમ કે આપણે પોતાની બુદ્ધિની આ સાક્ષી ઉપર અભિમાન કરી છયી, જે જગતના લોકોમાં બોવ વધારે કરીને તમારી વસમાં, આપડુ વર્તન પરમેશ્વર તરફથી પવિત્રતા અને હાસાય પરમાણે હતું, જે માણસના જ્ઞાન પરમાણે નથી પણ પરમેશ્વરની કૃપાની હારે હતું.


જેણે આપડી ઉપર પોતાની મહોર હોતન લગાડી દીધી છે, અને સાક્ષીની જેમ પોતાની પવિત્ર આત્માને પોતાના મનોમાં આપ્યો છે.


અને હવે જેણે અમને એના અરથે તૈયાર કરયા છે ઈ પરમેશ્વર છે, એણે આપણને આત્માની ખાતરી હોતન આપી છે.


હું તમારો બાપ થાય, અને તમે મારા દીકરા-દીકરીઓ થાહો, આયા સર્વસમર્થ પરભુ પરમેશ્વર કેય છે.”


તમે બધાયે મસીહમાં જળદીક્ષા લીધી અને મસીહના જીવન પરમાણે હાલો છો. ઈ હાટુ તમે બધાય ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાના કારણે પરમેશ્વરનાં દીકરા થય ગયા છો.


કેમ કે, આપડે એના દીકરા છયી ઈ હાટુ કે, પરમેશ્વરે પોતાના દીકરાનાં આત્માને આપડા હૃદયમાં મોકલ્યો છે, જે આત્મા પરમેશ્વરને “હે અબ્બા, હે બાપ” કયને હાંક મારે છે.


તો તમારી હારે એવુ છે તમે હાસા તારણના હારા હમાસાર હાંભળા છે જે આ વિષે બતાવે છે કે, પરમેશ્વર તમને કેવી રીતે બસાવે છે જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો છે તો પરમેશ્વરે પોતાનો વાયદો કરેલ પવિત્ર આત્મા તમને દીધો ઈ બતાવવા હાટુ કે, તમે પરમેશ્વરનાં છો.


પરમેશ્વરનાં પવિત્ર આત્માને આપડી જીવન જીવવાની રીતેથી દુખી નો કરો, જેનાથી તમને છોડાવવાના દિવસની છાપ દેવામાં આવી છે.


જોવો, પરમેશ્વર બાપે આપડી ઉપર બોવ પ્રેમ કરયો છે કે, આપડે એના સંતાન કેવાય, અને ખરેખર આપડે પરમેશ્વરનાં સંતાન પણ છયી. પણ જગતના લોકો ઈ નથી જાણતા કે, આપડે પરમેશ્વરનાં સંતાન છયી કેમ કે, તેવો પરમેશ્વર બાપને નથી ઓળખતા.


એનાથી જ પરમેશ્વરનાં સંતાનો અને શેતાનના સંતાનો ઓળકહી હકાય છે, જે લોકો ન્યાયી કામો કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, અને તેઓ જે પોતાના વાલા વિશ્વાસી ભાઈ અને બહેનની ઉપર પ્રેમ રાખે છે ઈ પરમેશ્વર તરફથી છે.


હે વાલા મિત્રો, હવે આપડે પરમેશ્વરનાં સંતાનો છયી, અને ભવિષ્યમાં આપડે કેવા થાહુ ઈ હજી પરગટ થયુ નથી, પણ આપડે જાણી છયી છે કે જઈ ઈસુ મસીહ ફરીથી આયશે તઈ આપડે પણ મસીહની જેવા થાહુ કેમ કે, આપડે એને એમ જ જોહુ, જેવા ઈ છે.


એનાથી જ આપડે જાણી છયી કે, આપડે એમા અને ઈ આપડામાં વાસ કરે છે કેમ કે, એણે પોતાનો પવિત્ર આત્મા આપણને આપ્યો છે.


જે પરમેશ્વરનો દીકરો ઈસુ ઉપર વિશ્વાસ કરે છે, ઈ જાણે છે કે, પરમેશ્વરે જે કાય કીધું છે ઈ હાસુ છે. પણ જેણે પરમેશ્વર ઉપર વિશ્વાસ નથી કરયો, એણે પરમેશ્વરને ખોટો ગણયો કેમ કે, એણે સાક્ષી ઉપર વિશ્વાસ નથી કરયો, જે પરમેશ્વરે પોતાના દીકરાની વિષે આપી છે.


જે વિજય પામશે, ઈ જ મારીથી આ બધાય આશીર્વાદોને મેળવશે અને હું એનો પરમેશ્વર થાય અને ઈ મારો દીકરો હશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ