Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 6:22 - કોલી નવો કરાર

22 પણ હવે પાપથી મુક્ત થયને અને પરમેશ્વરનાં સેવક બનીને હવે તમે એવા કામો કરો છો જે પવિત્રતાની બાજુ લય જાય છે, અને એનો અંત અનંતકાળનું જીવન મળે છે

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 6:22
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ જેમ; લુણીના બી એકઠા કરાય અને બાળી નખાય છે, એવી રીતે જગતના અંતમાં પણ થાહે.


તઈ ન્યાયીઓ પોતાના બાપના રાજ્યમાં સુરજની જેમ અજવાળુ ફેલાયશે. જે મારી વાતો હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”


જે કોયે ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ, બાળકો અને ખેતરો મારા નામને લીધે મુકી દીધા છે, ઈ હો ગણા પામશે અને અનંતકાળના જીવનનો વારસો મેળવશે.


અને તેઓ અનંતકાળની સજા ભોગયશે પણ ન્યાયી લોકો જે જમણી બાજુ છે તેઓ અનંતકાળના જીવનમાં પ્રવેશ કરશે.


તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.


દરેક ડાળી જે મારામાં જોડેલી છે, પણ ફળ નથી આપતી, એને ઈ કાપી નાખે છે, અને જે ડાળી ઉપર ફળ આવે છે અને ઈ કાપકૂપ કરે છે, જેથી ઈ હજી વધારે ફળ આપે.


પાકને લણનારા મજુરી મેળવે છે, અને અનંતકાળના જીવનના પાકને ભેગુ કરે છે, જેથી વાવનારો અને લણનારો બેય મળીને રાજી થાય.


અને તમે હાસાયને જાણશો, અને હાસ તમને મુક્ત કરશે.


તઈ તમારી ઉપર પાપની તાકાતનો અધિકાર નય હોય કેમ કે, તમે નિયમશાસ્ત્રને આધીન નથી પણ પરમેશ્વરની કૃપાને આધીન જીવો છો.


અને પરમેશ્વરે તમને પાપની તાકાતમાંથી છોડાવ્યા છે, તમે પરમેશ્વરનાં સેવક થય ગયા, જેથી ઈ કરો જે હાસુ છે.


પોતાના જુના જીવનથી તમને શું લાભ થ્યો? તમે એના કારણેથી ખાલી શરમાઓ છો. કેમ કે, ઈ કામોનું પરિણામ મોત છે.


હું પરમેશ્વરનો આભાર માનુ છું જેણે ઈસુ મસીહના દ્વારા મને બસાવાયો. ઈ હાટુ હું પોતાની બુદ્ધીથી તો પરમેશ્વરનાં નિયમને પણ દેહથી પાપના નિયમની સેવા કરું છું.


તો વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમે મસીહની હારે મરી ગયા છો તો તમે નિયમશાસ્ત્રના અધિકાર હાટુ મરી ગયા, હવે તમે એના છો જે મોતમાંથી જીવતો થયો, જેથી તમે પરમેશ્વર હાટુ ફળવંત જીવન જીવી હકો.


કેમ કે, તમે મસીહમા છો, ઈ હાટુ જીવન દેનારી આત્માના સામર્થ્યએ તમને નિયમના પાપની તાકાતથી આઝાદ કરી દીધા છે જે મોત તરફ લય જાય છે.


કેમ કે, જે દાસની દશામાં પરભુમાં બોલવામાં આવ્યો છે, પરભુએ તમને પાપની તાકાતથી મુક્ત કરયો છે અને એમ જ જે આઝાદની દશામાં બોલાવવામાં આવ્યા છે, તેઓ મસીહના ગુલામ બને છે.


પરભુ તો આત્મા છે, અને જ્યાં ક્યાય પરભુનો આત્મા છે ન્યા સ્વતંત્રતા છે.


સોખી રીતેથી, હું લોકોને રાજી કરવાની કોશિશ કરતો નથી, પણ હું પરમેશ્વરને રાજી કરવા માગું છું. જો હું હજી હુધી માણસોને જ રાજી કરતો હોત તો મસીહનો ચાકર નો થાત.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


કેમ કે, જો કોય માણસ અજવાળામાં છે, તો તેઓનું આસરણ હારુ ન્યાયી અને હાસુ હોય છે અને એની ઉપર ભરોસો કરી હકાય છે.


અને પરમેશ્વરની મહિમા અને મોટાય હાટુ ઈ ન્યાયીપણાની રીતે આપડા જીવનનો વ્યવહાર કરો જે ઈસુ મસીહ દ્વારા થાય છે.


આ હું ઈ હાટુ નથી કેતો કે, મારે દાન જોયી છી. પણ તમારા લાભમાં ઘણાય ફળ મળે એવુ માગું છું.


અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો.


એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો.


હું પાઉલ, આ પત્ર લખી રયો છું, હું પરમેશ્વરનો સેવક અને ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું મને પરમેશ્વરે ગમાડેલા લોકોના વિશ્વાસને મજબુત અને હાસા શિક્ષણોને જાણાવામાં મદદ કરવા હાટુ મોકલ્યો છે, જેથી ઈ એવુ જીવન જીવે જે પરમેશ્વરને રાજી કરે છે.


બધાયની હારે શાંતિથી રયો, પવિત્રતા વગર કોય પરભુને જોય હકતા નથી.


આ પત્ર હું પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહનો ગમાડેલો ચેલો યાકુબ યહુદી બાર કુળોને લખી રયો છું; જે જગત ભરમાં વિખેરાય છે, ઈ બારેય કુળોને મારા સલામ.


કેમ કે, તમે એની ઉપર વિશ્વાસ કરવાનું પરિણામ એટલે કે, પરમેશ્વર તમને અને તમારા આત્માને બસાવી રયો છે.


તમારા હાટુ એવુ કોય નથી જે તમને ઈ કરવાથી રોકી હકે, જે તમે કરવા માગો છો કેમ કે, તમે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા પેલાથી જ સ્વતંત્ર કરી દેવામાં આવ્યા છો. પણ ખરાબ કામ કરવા હાટુ એને એક બાનું નો બનાવો. પણ તમારે પોતાના કામોથી દેખાડવું જોયી કે, તમે હાસીન પરમેશ્વરનાં ચાકર છો.


એની ઉપર વડીલોમાથી એકે મને પુછયું કે, ધોળા લુગડા પેરેલા કોણ છે? ઈ ક્યાંથી આવ્યા છે?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ