કોય પણ માણસ એક વખતે બે ધણીની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે, નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.
પરમેશ્વરે પોતાના ઈ લોકોને નથી નકારા, જેને એણે પેલાથી ગમાડી લીધા, તમે જાણો છો કે, એલિયા આગમભાખીયાની વિષે શાસ્ત્ર શું કેતા હતાં કે, ઈ ઈઝરાયલ દેશના લોકો પરમેશ્વરની વિરુધ ફરિયાદ કરે છે.
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને પરમેશ્વરની દયાને યાદ કરાવીને વિનવણી કરું છું કે, પોતાના દેહનુ જીવતુ, અને પવિત્ર, અને પરમેશ્વરને ગમે એવુ બલિદાન કરો, ઈ જ તમારુ ભજન કરવાનું હાસું કારણ છે.
તમને ખબર હોવી જોયી કે, ભવિષ્યમાં પરમેશ્વરનાં લોકો આ જગતમાં લોકોનો ન્યાય કરશે. ઈ હાટુ તમે પાકી રીતે ઈ નક્કી કરવા હાટુ લાયક છો કે, તમારામાંથી કોણ તમારી નાની અસહમતીમાં હાસો છે.
પાક્કી રીતે તમે જાણો છો કે, મંદિરમાં કામો કરનારા માણસોને મંદિરમાંથી પોતાનો નીવેદ મળે છે હાં, જે લોકો બલી સડાવાની જગ્યા ઉપર બલિદાન આપે છે, તેઓ ઈ બલીમાંથી પોતાનો ભાગ મેળવે છે.
તેઓ એને કેય છે કે એને જે હારું લાગે એવુ કરવા હાટુ ઈ સ્વતંત્ર છે પણ તમે પોતે ચાકર છો જેને આજ્ઞાનું પાલન કરવુ જોયી. જે કાય પણ એનુ ભુંડુ મગજ એને કરવા હાટુ બતાવે છે. પાક્કી રીતે માણસ એનો ગુલામ હોય છે જે વાત એને કાબૂમા કરે છે.