Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 5:2 - કોલી નવો કરાર

2 આપડા વિશ્વાસના કારણે, મસીહ આપણને આ કૃપામાં લીયાવો છે જ્યાં આપડે હવે ઉભા છયી, અને આપડે આશા અને આંનદની હારે પરમેશ્વરની મહિમામાં ભાગીદાર થાવાની આશા જોયી છયી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 5:2
43 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”


તઈ ઈસુએ તેઓને પાછુ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, ઘેટાઓનુ કમાડ હું છું,


બાયણુ હું છું, મારી દ્વારા અંદર આવનારાઓને તારણ આપશે, અને તેઓ અંદર બારે આવ જાવ કરે, અને ખાવા હાટુ નીણ મળશે.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.


તેઓએ અંત્યોખ શહેરમાં આવીને મંડળીના લોકોને ભેગા કરયા અને પરમેશ્વરે તેઓની હાટુ કરેલા કામો અને બિનયહુદી લોકો વિશ્વાસ કરે ઈ હાટુ એમણે કેવી રીતે મારગ ખોલ્યો ઈ બધુય તેઓને હંભળાવ્યું.


આ હાસુ છે. અવિશ્વાસને લીધે એને તોડી નાખવામાં આવી, અને વિશ્વાસને લીધે તુ ઈ જગ્યાએ ટકી રયો છો; છતાં અભિમાન કરવુ નય, પણ બીક રાખ,


તમારી પાહે જે આશા છે, એમા તમારે રાજી થાવુ જોયી, સંકટમાં ધીરજ રાખવી, પ્રાર્થનામાં વિશ્વાસુ રયો.


કોયના ચાકરનો ન્યાય કરવાનો તને ક્યો અધિકાર છે? એને સાલું રાખવો કે એને કાઢી મુકવો ઈ બાબત એના શેઠને જોવાની છે, પરભુ એમ કરવાને શક્તિમાન છે, હાટુ ઈ ટકી રેહે.


હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય.


જેઓએ હારા કામમા સ્થિર રયને મહિમા, અને આદર અને અમરપણું ગોતે છે, તેઓને પરમેશ્વર અનંતકાળનું જીવન આપશે.


કેમ કે, બધાએ પાપ કરયુ છે અને ઈ મહિમા હુધી નય પુગી હકે જે પરમેશ્વર આપે છે.


આશા શરમાવતી નથી; કેમ કે, આપણને આપેલા પવિત્ર આત્માથી આપડા હૃદયમાં પરમેશ્વરનો પ્રેમ વહેડાવાયો છે.


ઈ હાટુ જે લોકો મસીહ ઈસુમાં છે તેઓની ઉપર કોય દંડ નથી.


હવે જઈ પરમેશ્વરે આપણને બસાવ્યા છે, તો આપડી પાહે ઈ આશા છે પણ જઈ તમે કાક મેળવવાની ઈચ્છા કરી રયા છો જે તમારી પાહે પેલાથી જ છે, તો ઈ આશા નથી કોય પણ ઈ વસ્તુને મેળવવાની ઈચ્છા નથી કરતો જે એની પાહે પેલાથી જ હોય.


હવે ભાઈઓ અને બહેનો જે હારા હમાસાર મેં તમને પરગટ કરા છે જેને તમે પણ અપનાવા છે, અને એમા તમે મજબૂત પણ રયા છો,


પણ આપડે બધાય એક આભલાની જેમ પરમેશ્વરની મહિમાને આવા મોઢાથી દેખાડો કરી છયી જેની ઉપર પડદો નથી પડયો, તો પરમેશ્વર આપણને ધીરે-ધીરે પરભુના તેજ સ્વરૂપમાં બદલી રયા છે અને ઈ પરભુ એટલે કે પવિત્ર આત્માના કામો છે.


અમે આ હળવી અને થોડીક મુશ્કેલી ભોગવી છયી, પણ એની દ્વારા અમને એના કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને અનંતકાળની મહિમા પ્રાપ્ત થાહે.


મસીહે આપડી હાટુ જે કરયુ છે, એના કારણે હવે આપડે બધાય ઈ એક પરમેશ્વરની આત્મા દ્વારા પરમેશ્વર બાપની પાહે આવી હકી છયી.


મસીહની હારે આપડા ભેગા થાવાના કારણે અને એની ઉપર આપડા વિશ્વાસના કારણથી, હવે અમે પરમેશ્વરની હાજરી હોવાથી આપડી આઝાદી છે.


ઈ હાટુ તમે પરમેશ્વરનાં બધાય બકતર પેરી લ્યો જેથી તમે ખરાબ દિવસે સામનો કરી હકો અને બને એટલું બધુય કરીને એની હામાં મજબુત ટકી હકો.


હવે આપડા પરભુ ઈસુ મસીહ પોતે, અને આપડા પરમેશ્વર બાપ જે આપણને પ્રેમ કરયો, અને કૃપાથી સદાયની શાંતિ અને ઉતમ આશા આપી છે.


મસીહ એક દીકરાની જેમ પરમેશ્વરનાં પરિવારમાં વિશ્વાસુ છે અને ઈ પરિવાર આપડે પોતે જો આપડે પોતાની હિંમત અને આશા છોડતા નથી તો એમાંથી આપડે પણ છયી.


એથી વાયદો અને હમ ઈ બે બાબતો એવી છે જે કોયદી બદલી હકાતા નથી. એમ જ એની વિષે પરમેશ્વર ખોટુ બોલી હક્તા નથી. જેથી એની હારે સલામતી મેળવનાર આપડી હામે રાખવામાં આવેલી આશાને મજબુતીથી વળગી રેવા હાટુ બોવ વધારે પ્રોત્સાહન મળે.


હું આવું ઈ હાટુ કવ છું કેમ કે, મસીહ એક વખત ઈ લોકો હાટુ મરી ગયો, જેણે પાપ કરૂ. ઈ એક ન્યાયી માણસ હતો જે અન્યાયી લોકો હાટુ મરી ગયો. ઈ હાટુ મરી ગયો, જેથી ઈ આપણને પરમેશ્વરની પાહે લય જાય. જે વખતે એની પાહે સામાન્ય દેહ હતો ઈ મારી નખાણો, પણ પવિત્ર આત્માએ એને ફરીથી જીવતો કરી દીધો.


યરુશાલેમ શહેર પરમેશ્વર તરફથી મળનારા તેજ અજવાળાથી સમકી રયુ હતું અને એનુ અજવાળુ કિંમતી રાતા મણીના જેવું અને કાસની જેવું સોખ્ખુ હતું.


ઈ શહેરમાં નો સુરજ અને નો સાંદાના તેજની જરૂર છે કેમ કે, ઈ શહેરમાં પરમેશ્વર અને ઘેટાનુ બસુ જ દીવો છે.


પછી મે એક અવાજ હાંભળ્યો જે પરમેશ્વરની રાજગાદીથી જોરથી બોલવાનો હતો, એણે કીધું કે, જોવો હવેથી પરમેશ્વર માણસજાતની હારે રેહે અને તેઓ એના લોકો હશે, અને પરમેશ્વર પોતે પવિત્રજગ્યામાં એની હારે રેહે અને તેઓને પોતાના લોકોની જેમ અપનાયશે અને તેઓ એને પોતાના પરમેશ્વરનાં રૂપમાં અપનાવશે.


હું દરેકને જે શેતાન ઉપર વિજય પામે છે, મારી હારે કે, રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરવાનો અધિકાર આપય, જેમ મે શેતાનને જીતી લીધો અને હવે મારા બાપની હારે રાજગાદી ઉપર બેહીને રાજ્ય કરું છું


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ