અને ઈ સુન્નત વગરનો જ હતો. તઈ વિશ્વાસથી જે ન્યાયીપણુ એને મળ્યુ હતું, એની ઓળખાણ થાવા હાટુ ઈ સુન્નતની નિશાની પામ્યો, જેથી બધાય સુન્નત વગરના વિશ્વાસીઓનો ઈ વડવો થાય કે, તેઓની લેખે ઈ હોતન વિશ્વાસનું ન્યાયપણું ગણાય.
તો આ આશીર્વાદિત વચન, શું સુન્નતી હાટુ જ છે, કે, બેસુન્નતી હાટુ હોતન? આપડે ઈ જ કેયી છયી જે શાસ્ત્ર કેય છે, ઈબ્રાહિમે વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે એને પોતાની હારે ન્યાયી ઠરાવ્યો.
જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.