Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 3:27 - કોલી નવો કરાર

27 શું આપડે અભિમાન કરી હકી છયી કે, આપડે પરમેશ્વર દ્વારા સ્વીકાર કરવા હાટુ કાક કરયુ છે. એની તો જગ્યા જ નથી. ક્યા નિયમનાં કારણથી? શું આ ઈ કારણ છે કે, આપડે નિયમશાસ્ત્રનું પાલન કરી છયી?, નય પણ વિશ્વાસના કારણે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 3:27
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે કોય મારી ઉપર વિશ્વાસ કરે અને નિશાનીના રૂપમાં જળદીક્ષા લેય, તો ઈ મારી ઉપર અત્યારે જ વિશ્વાસ કરે છે, ઈ પરમેશ્વર દ્વારા પોતાના પાપો હાટુ અપરાધી થવાથી બસાવવામાં આયશે. પણ જે વિશ્વાસ નય કરે, ઈ અપરાધી ઠરશે.


જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.


કેમ કે, મુસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, જે માણસ શાસ્ત્ર પરમાણે ન્યાયીપાણાનું પાલન કરે છે, ઈ એનીથી જીવતો રેહે.


પણ જો ઈ કૃપાથી થયુ છે, તો ઈ કામોથી થયુ નથી, નકર તો કૃપા ઈ કૃપા કેવાય જ નય


કેમ કે, તુ પોતાને યહુદી કે છો, નિયમશાસ્ત્ર ઉપર ભરોસો રાખ છો, અને અભિમાન કરો છો કે, તમે પરમેશ્વરનાં ખાસ લોકો છો.


તમે જે શાસ્ત્રની વિષે અભિમાન કરો છો, ઈ શાસ્ત્રનો નકાર કરીને શું તમે પરમેશ્વરનુ અપમાન કરો છો?


આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.


કેમ કે, ઈબ્રાહિમ જે કરણીઓથી ન્યાયી ઠરયો હોત, તો એને પોતાના વખાણ કરવાનું કારણ છે, પણ પરમેશ્વરની હામે નય.


તો મને એવો નિયમ ખબર પડે છે કે, જઈ હારું કરવાની હું ઈચ્છા રાખુ છું, તો દુષ્ટતા મારામાં હયાત હોય છે.


પણ મને પોતાના દેહના અંગોમાં બીજા પરકારના નિયમશાસ્ત્રની આજ્ઞા જોવા મળે છે, મારું મન જે નિયમશાસ્ત્રને હાસુ માને છે એનાથી બાધે છે અને આ મને પાપનો કેદી બનાવે છે જે મારા દેહમાં કામ કરે છે.


હું પરમેશ્વરનો આભાર માનુ છું જેણે ઈસુ મસીહના દ્વારા મને બસાવાયો. ઈ હાટુ હું પોતાની બુદ્ધીથી તો પરમેશ્વરનાં નિયમને પણ દેહથી પાપના નિયમની સેવા કરું છું.


કેમ કે, તમે મસીહમા છો, ઈ હાટુ જીવન દેનારી આત્માના સામર્થ્યએ તમને નિયમના પાપની તાકાતથી આઝાદ કરી દીધા છે જે મોત તરફ લય જાય છે.


અને બેયમાંથી એક દીકરાને પરમેશ્વરનાં ઈરાદા પરમાણે ગમાડેલો હતો એવી ખબર પડે ઈ હાટુ એણે એને કીધું કે, “મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”


પણ ઈઝરાયલ દેશના લોકો, જેઓ મુસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને પરમેશ્વરની હારે હાસા થાવાની કોશિશ કરતાં હતાં, ઈ ન્યાયી થાવામાં સફળ નો થયા.


આવું હુકામ થયુ? ઈ હાટુ કે, તેઓએ વિશ્વાસની બડલે કામો ઉપર આધાર રાખ્યો. એણે ઠેય ખવડાવનારા પાણાની ઠેય ખાધી.


કોયે પણ તમને બીજાની કરતાં વધારે મહત્વનું નથી આપ્યુ! તમને આપેલી દરેક વસ્તુઓ પરમેશ્વર દ્વારા આપેલી છે. તો તમને અભિમાન કરવાનો કોય અધિકાર નથી.


ઈ હાટુ આપડે યહુદી વિશ્વાસી જાણી છયી કે, મુસાના નિયમનું પાલન કરીને કોય પણ માણસ પરમેશ્વરની નજરમાં ન્યાયી નથી ઠરતો. ઈ હાટુ ખાલી ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરે છે; ઈ હાટુ તમે પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો કે, આપડે મુસાના નિયમનું પાલન કરવાથી નય પણ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરી કેમ કે, શાસ્ત્રનું પાલન કરીને કોય પણ માણસ ન્યાયી નથી ઠરી હક્તો.


પણ શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે બધાય પાપી છયી. જેથી પરમેશ્વરે જે વાયદો કરયો છે તો ઈ લોકોને આપી હકાય જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ