એણે તેઓને કીધુ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કેવાય છે, જ્યાં બધીય જાતિના લોકો પ્રાર્થના કરવા હાટુ આવે છે, પણ તમે એને લુંટારાઓની જગ્યા બનાવી દીધી છે.”
ઈસુએ જવાબ આપ્યો કે, તમે યહુદી નિયમના શિક્ષકો તમને અફસોસ છે! કારણ કે, તમે એવા કડક નિયમો બનાવો છો, જેનું પાલન કરવાનું પણ લોકોની હાટુ ઘણુય કઠણ છે. તમે બીજા લોકોને ઈ નિયમનું પાલન કરવા હાટુ દબાણ કરો છો, પણ તમે તમારી જાતે ઈ નિયમો પરમાણે જરાય કોશિશ કરતાં નથી.
ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.”
હું પોતાના દેહને કાબુમાં રાખુ છું જેથી હું એની ખરાબ ઈચ્છાઓ પરમાણે નો હાલું ક્યાક એવું નો થાય કે, હું જે બીજાના હારા હમાસાર પરચાર કરું છું, અને હું પોતે જ ઈનામ નો મેળવું.
આયા હુધી કે, તેઓ સુન્નત કરેલા પણ મુસાના બધાય નિયમશાસ્ત્રનું પાલન નથી કરતાં, પણ તેઓ ઈચ્છે છે કે, તમારી સુન્નત કરવામાં આવે જેથી ઈ બીજા યહુદીઓની હામે અભિમાનથી આ બતાવી હકે કે, તમારી સુન્નત એના કારણે થય છે.