ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”
તો શું આપડે નિયમશાસ્ત્રને વિશ્વાસ દ્વારા અરથ વગરનો ઠરાવી છયી? નય! કઈયેય નય! કેમ કે, જઈ આપડે વિશ્વાસ કરી છયી તો અમે દેખાડી છયી કે, આપડે ઈ હમજી છયી કે, પરમેશ્વરે નિયમશાસ્ત્ર કેમ આપ્યું.
મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારી હારે વાત નય કરી હકુ; જેમ આત્મિક લોકોથી પણ જેમ તે લોકો વડે વાત કરું જેની પાહે પરમેશ્વરની આત્મા છે. પણ મને તમારીથી ઈ લોકોની હારે વાત કરવી પડે છે, જે ખરેખર આ જગતથી સબંધ રાખે છે, એવા લોકો જે મસીહ શિક્ષણોમાં અને તમારી હમજણમાં બાળકોની જેમ છે.
ઈ ખોટા શિક્ષકો એમ કેય છે કે, અમે પરમેશ્વરને જાણી છયી, પણ એનુ વરતન સોખી રીતે બતાવે છે કે, ઈ પરમેશ્વરને ઓળખતા નથી. કેમ કે, પરમેશ્વર આવા લોકોને ધિક્કારે છે, ઈ લોકો આજ્ઞા માનનારા નથી અને ઈ કાય પણ હારા કામોને લાયક નથી.
જેમ નવું જનમેલુ બાળક પોતાની હાટુ માનું શુદ્ધ દૂધ પીવે છે, એમ જ તમારે પરમેશ્વરથી હાસી વાતુ શીખવા હાટુ ઈચ્છા રાખવી જોયી, જેથી એને શીખીને તમે એની ઉપર ભરોસો કરનારા હમજણા બની હકો છો, તમારે આવું ઈ વખત હુધી કરવુ જોહે જ્યાં હુધી પરમેશ્વર તમને જગતની બધીય ભુંડાયથી પુરી રીતે બસાવ કરતાં નથી.