Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:16 - કોલી નવો કરાર

16 આ ઈ દિવસે થાહે જઈ પરમેશ્વર ન્યાય કરશે, ઈ હારા હમાસાર જેનો હું પરચાર કરું છું એની પરમાણે ઈસુ મસીહ દ્વારા માણસોની ખાનગી વાતોનો ન્યાય કરશે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:16
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, માણસનો દીકરો પોતાના બાપની મહિમામાં પોતાના સ્વર્ગદુતોની હારે આયશે, તઈ તે પ્રત્યેકને એના કામ પરમાણે બદલો આપશે.


ઈ આ બતાવે છે કે, કોય પણ એવી વસ્તુ નથી જે હતાડેલી રેહે, અને કોય પણ એવી વસ્તુ નથી જે હંતાડી હકાહે પણ બધુય ઉઘાડું કરાહે.


જે મારો નકાર કર છે, અને મારી વાતોનો સ્વીકાર કરતો નથી એનો ન્યાય કરનારો એક જ છે, હા અને જે વચન મે કીધા છે, ઈજ છેલ્લા દિવસે એનો ન્યાય કરશે.


અને એણે આપણને આજ્ઞા આપી કે, બધાય લોકોમા પરસાર કરો અને સાક્ષી આપો કે, ઈસુને પરમેશ્વરે જીવતા અને મરેલાં લોકોનો ન્યાય કરનારો ઠરાવ્યો.


કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”


હવે જે સંદેશાને પેલાથી જ ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ ઈ આ મસીહના વખતમાં જાહેર થયો છે અને બધીય જાતિઓ વિશ્વાસની આધીન થાય, ઈ હાટુ સનાતન પરમેશ્વરની આજ્ઞાથી આગમભાખીયાઓની સોપડીઓમાં તેઓને જણાવવામાં આવ્યો છે.


પણ કેમ કે, તમે હઠીલા છો અને પસ્તાવો કરવાની ના પાડો છો ઈ દિવસે જઈ પરમેશ્વર પોતાનો ગુસ્સો બતાયશે, જેમા પરમેશ્વર હાસો દંડ પરગટ કરશે, જઈ પરમેશ્વર બધાય લોકોના વિશ્વાસનો ન્યાય કરશે તઈ ઈ તમારા દંડને વધારે કઠણ કરશે.


નય! કોયદી નય! જો પરમેશ્વર આપડા યહુદીઓનો ન્યાય કરવામા ન્યાયી નથી, તો ઈ જગતના લોકોનો ન્યાય કેવી રીતે કરી હકે?


હવે ભાઈઓ અને બહેનો જે હારા હમાસાર મેં તમને પરગટ કરા છે જેને તમે પણ અપનાવા છે, અને એમા તમે મજબૂત પણ રયા છો,


ઈ હાટુ જ્યાં હુધી પરભુ પાછો નો આવે ન્યા હુથી કોયનો ન્યાય કરવો નય, ઈ સોખી રીતે બધાય વિસારો બતાયશે જે લોકોની પાહે છે જેના વિષે કોય બીજા નથી જાણતા. ઈ તે હેતુને પરગટ કરશે જે પરમેશ્વરનાં હ્રદયમાં છે.


કેમ કે, દરેકે દેહથી જે કરયુ છે, હારું કે ભુંડુ હોય, ઈ પરમાણે બદલો મેળવવા હાટુ આપણને બધાયને મસીહનાં ન્યાયાશન હામે હાજર થાવુ પડશે.


ભાઈઓ અને બહેનો, હું તમને જણાવું છું કે, જે હારા હમાસાર મે હંભળાવા છે, ઈ માણસોએ બનાવેલા નથી.


આ હાસુ શિક્ષણ અદભુત પરમેશ્વરની મહિમા વિષે હારા હમાસારથી સહમત થાય છે, જેણે મને પરચાર કરવાની જવાબદારી આપી છે.


ઈસુ મસીહ વિષે સદાય યાદ રાખ કે ઈ કોણ છે, ઈ તો રાજા દાઉદનો વંશ છે, જેણે પરમેશ્વરે મરણમાંથી જીવાડયો, અને ઈ જ હારા હમાસાર છે, જે હું લોકોમા પરચાર કરું છું


જઈ ઈસુ મસીહ રાજાની જેમ રાજ્ય કરવા આયશે, તઈ ઈ જે જીવતા છે અને જે મરી ગયા છે ઈ બેયનો ન્યાય કરશે. ઈ હાટુ પરમેશ્વર અને મસીહને સાક્ષી હમજીને, હું તને આજ્ઞા આપું છું,


હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.


જેમ દરેક માણસને એકવાર મરવાનું પાકું છે અને એની પછી દરેક માણસનો ન્યાય કરવામાં આયશે આ પણ પાકું છે.


પણ એક દિ તેઓએ જે કાય કરયુ છે એને પરમેશ્વરથી સ્વીકાર કરવુ પડશે ઈજ છે જે એનો ન્યાય કરશે.


જઈ કે, પરભુએ આ બધીય વસ્તુઓને કરી છે. તો એનાથી ખબર પડે છે કે, ઈ જાણે છે કે, પરમેશ્વરનાં લોકોને એના દુખથી કેવી રીતે છોડાવવાના છે અને કેવી રીતે ખરાબ લોકોને ન્યાયના દિવસ હુધી સતત દંડ દેવાનો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ