Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 15:31 - કોલી નવો કરાર

31 કે, હું યહુદીયા પરદેશના અવિશ્વાસુઓથી બસાવી રાખવામાં આવ્યો, અને પ્રાર્થના કરજો કે, ન્યાના વિશ્વાસુ મારી આ ભેટને અપનાવે; જે હું મારી હારે યરુશાલેમ લેતો જાવ છું

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 15:31
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

સિપાય દળના સરદારે કીધું કે, “આને કિલ્લામાં લય જાવ, અને કોરડા મારીને પૂછ પરછ કરો કે, હું જાણું કે, લોકો કેમ એના વિરોધમાં રાડો નાખતા હતા.”


તઈ મુખ્ય યાજકોએ, અને યહુદી લોકોના આગેવાનોએ, એની હામે પાઉલને ઠપકો દીધો.


અને જઈ પાઉલને લીયાવવામાં આવ્યો, તો ફેસ્તસે કીધું કે, “હે રાજા આગ્રીપા, અને હે બધાય લોકો જે આયા અમારી હારે છો, તમે આ માણસને જોવ છો, જેના વિષયમાં ઘણાય યહુદી લોકોના આગેવાનોએ યરુશાલેમ શહેરમાં અને આયા પણ રડો નાખી નાખીને મારાથી વિનવણી કરી કે, એનું જીવતું રેવું હારું નથી.


તઈ અનાન્યા જવાબ દીધો કે, “હે પરભુ, મે ઘણાય લોકોથી આ માણસની વિષે હાંભળ્યું છે કે એણે યરુશાલેમ શહેરના તારા લોકોને કેટલા સતાવ્યા છે.


પણ પરભુ ઈ એને કીધું કે, “તુ જાય, કેમ કે એને તો બિનયહુદી જાતિના લોકો, રાજાઓ અને ઈઝરાયલ દેશના લોકોને આગળ મારી સેવા કરવા હાટુ ગમાડયા છે.


પણ અત્યારે તો હું સંતોની સેવામાં યરુશાલેમ શહેર જાવ છું


વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે સ્તેફનાસ અને એના પરિવારને ઓળખો છો કે, તેઓ અખાયા વિસ્તારના પેલા લોકો હતા જેણે મસીહ ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરનાં પવિત્ર લોકોની સેવા હાટુ લાગેલા રયો.


એણે જ આપણને મોતના મોટા જોખમમાંથી બસાવ્યા અને બસાયશે, અને એની ઉપર આપડી આ આશા છે કે, ઈ આગળ પણ આપણને બસાવતો રેહે.


પોતાની આ ઉદારતા અને લોકોની સેવા કરવામાં તેઓની ભાગીદારી અપનાવવામાં તેઓએ અમને આગ્રહથી વિનવણી કરી;


હવે યહુદીયા પરદેશમાં રેનારા પરમેશ્વરનાં લોકોની મદદ હાટુ મારે તમને લખવાની કાય જરૂર નથી.


કેમ કે, બીજાઓને મદદ કરવા હાટુ આપવાની સેવાથી બોવ બધા લોકો પરમેશ્વરની મહિમા પરગટ કરે છે, કેમ કે, તમે મસીહના હારા હમાસાર હાસા છે એવી કબુલાત કરી છે, અને હવે એનું પાલન પણ કરો છો, અને ગરીબ વિશ્વાસીઓ અને બધાય વિશ્વાસીઓની મદદ પણ કરતાં હોય.


ઈ યહુદીઓએ પરભુ ઈસુ અને આગમભાખીયાઓને પણ મારી નાખ્યા અને અમને સતાવ્યા, અને પરમેશ્વર તેઓથી રાજી નથી, અને તેઓ બધાય લોકોનો વિરોધ કરે છે.


અને આ રીતે પણ પ્રાર્થના કરો કે પરમેશ્વર અમને દૃષ્ટ અને ભુંડા લોકોથી બસાવીને રાખે કેમ કે, બધાય લોકો પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ નથી કરતા.


મે મુશ્કેલીઓને સહન કરી છે, લોકોએ મને સતાવ્યો, જેની લીધે મે બોવ જ પીડા સહન કરી. તુ ઈ ભયાનક બાબતો વિષે જાણ છો; જે લોકોએ મારી હારે અંત્યોખ, ઈકોનીયા અને લુસ્ત્રા શહેરમાં કરયુ, અને કેવી રીતે મે ન્યા સતાવણીને સહન કરી.


ઈ વખતમાં પરભુએ મને સામર્થ આપીને અને મારી મદદ કરી, જેથી હું ઈસુ મસીહની વિષે હારા હમાસારનો પરચાર હારી રીતેથી કરવાને લાયક થય હકુ, અને બિનયહુદીઓના બધાય લોકો હાંભળી હકે. અને એણે મને ભૂખા સિંહના મોઢામાંથી બસવાની જેમ મોતથી મને બસાવ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ