Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 15:19 - કોલી નવો કરાર

19 એટલે યરુશાલેમ શહેરથી રવાના થયને ફરતા ફરતા ઠેઠ ઈલુરીકમ પરદેશ હુધી સમત્કાર, નિશાનીઓ અને પવિત્ર આત્માની સહાયથી મે મસીહ ઈસુના હારા હમાસાર પુરેપુરી રીતે પરગટ કરયા છે એની વિષે જ હું કેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 15:19
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ જો હું પરમેશ્વરનાં સામર્થ્યથી મેલી આત્માઓને બારે કાઢુ છું, તો પરમેશ્વરનું રાજ્ય તમારી ઢુંકડુ આવ્યું છે.


ઈસુએ એને કીધું કે, “તમે અનોખી સમત્કારી નિશાની અને નવાય પામે એવા કામો કરવાના નથી.”


પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.


પાઉલ અને બાર્નાબાસ પેર્ગા શહેરની આગળ વધીને ગલાતી પરદેશના પિસીદીયા જગ્યાની પાહે અંત્યોખ શહેરમાં પુગ્યા, અને વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને બેહી ગયા.


તઈ પાઉલ અને બર્નાબાસે એની હામે પોતાના પગની ધૂળ ખખેરી નાખી ઈ બતાવવા હાટુ કે, પરમેશ્વરનો તેઓએ નકાર કરયો છે, અને ઈ એને સજા આપશે. પછી ઈ ઈકોનીયા શહેરમાં વયા ગયા.


અને જોરથી રાડ નાખીને કીધું કે, “પોતાના પગ ઉપર સીધો ઉભો થયજા.” તઈ ઈ ઠેકડો મારીને ઉભો થય ગયો, અને હાલવા લાગ્યો.


પણ જઈ વિશ્વાસી ચેલાઓ આજુ-બાજુ આવીને ભેગા થય ગયા, તઈ ઈ ઉભા થયને શહેરમાં ગયા, અને પાઉલ બીજા દિવસે બાર્નાબાસની હારે દેર્બે શહેરમાં વયો ગયો.


પામ્ફુલિયાની જગ્યાના પેર્ગામાં શહેરમાં પરમેશ્વરનાં વચનનો પરચાર કરીને અત્તાલિયા શહેરમાં ગયા.


તો તેઓ એની યોજના વિષે જાણી ગયા, અને લુકોનીયાના શહેર લુસ્ત્રા અને દેર્બે શહેરમાં અને આજુ બાજુના પરદેશમા ભાગી ગયા.


તઈ બધીય સભાના લોકો સુપ થયને બાર્નાબાસ અને પાઉલની વાતો હાંભળવા લાગીયા કે, પરમેશ્વરે એના દ્વારા બિનયહુદી લોકોમા કેવા મોટા-મોટા કામો અને સમત્કાર દેખાડા હતા.


ઈ ઘણાય દિવસ હુધી આવુ જ કરતી રય. પણ પાઉલે અકળાયને અને પાછુ વળીને મેલી આત્માને કીધું કે, “હું તને ઈસુ મસીહના નામે આજ્ઞા આપું છું કે, એમાંથી નીકળી જા.” અને ઈ તરત છોકરીમાંથી નીકળી ગય.


વિશ્વાસી લોકોએ તરત રાતે પાઉલ અને સિલાસને બેરિયા શહેરમાં મોકલી દીધા, અને ઈ ન્યા પૂગીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં ગયા.


ઈ લોકો જે પાઉલને લય જાતા હતાં, ઈ એની હારે આથેન્સ શહેર લગી ગયા, પણ પાઉલથી આ આજ્ઞા લયને પાછા વળા કે, જેટલું જલદી થય હકે, સિલાસ અને તિમોથી એની પાહે આવી જાય.


આ પછી પાઉલ આથેન્સ શહેરને મુકીને કરિંથી શહેરમાં આવ્યો.


જઈ ઈ એફેસસ શહેરમાં પુગ્યો, તો પાઉલે પ્રિસ્કીલા અને આકુલાને ન્યા મુકી દીધા, જઈ પાઉલ ન્યા હતો તઈ ઈ પોતે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં યહુદીઓ હારે વાદ-વિવાદ કરવા મંડયો.


જઈ આપોલસ કરિંથી શહેરમાં હતો, તો પાઉલ અંદરના પરદેશોમા થયને એફેસસ શહેરમાં આવ્યો, ન્યા થોડાક વિશ્વાસી લોકોને ઈ મળ્યો.


અને જે જે વાતો તમારા લાભની હતી, એને બતાવો અને લોકોની હામે અને ઘરે ઘરે જયને શીખવાડો, જે મે તમને ઈ બધુય શીખવાડુ છે.


પણ આપડે બેયે હાલીને ફિલિપ્પી શહેરની યાત્રા કરી, અને બેખમીર રોટલીના તેવાર પછી ફિલિપ શહેરમાંથી વહાણ દ્વારા પાસ દિવસમાં ત્રોઆસ શહેરમાં એની પાહે પુગીયા, અને હાત દિ હુધી ન્યા જ રયા.


હવે પરમેશ્વર કે, જેની ઉપર તમે આશા રાખો છો, ઈ તમને વિશ્વાસ રાખવામાં એક ધારો આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા વધતી જાય.


મસીહ ઈસુના ચાકર તરીકે મને બિનયહુદીઓ વસ્સે કામ કરવાનો અધિકાર મળ્યો છે. પરમેશ્વરનો સંદેશો પરગટ કરીને હું યાજકનું કામ કરું છું, જેથી પવિત્ર આત્માની લીધે મસીહી બનેલા બિનયહુદીઓ પરમેશ્વરને માન્ય અર્પણ થાય.


ઈ હાટુ જઈ સ્પેન જાય તો તમારી પાહે થયને જાય કેમ કે, મને આશા છે કે, આ યાત્રામાં તમને મળુ, અને હું તમારી સંઘતથી રાજી થય જાવ, હું ઈચ્છું છું કે, તમે મને મારી સ્પેન દેશની યાત્રા હાટુ મદદ કરો.


મારૂ શિક્ષણ અને મારો પરચાર માણસના જ્ઞાનની મીઠી મીઠી વાતોથી નોતું. પણ પવિત્ર આત્માએ તમને એક સામર્થ્યના પરમાણે દેખાડો કરયો કે, જે સંદેશો મે તમને બતાવ્યો ઈ હાસુ હતું.


ગમાડેલો ચેલો થાવાના લક્ષણો એટલે નિશાનીઓ, સમત્કારો અને સામર્થ્યના કામો ઘણી ધીરજથી તમારામાં થયા હતા.


પરમેશ્વર, હવે ઉદારતાથી તમને પોતાનો આત્મા આપે છે અને તમારામાં સમત્કારના કામ કરે છે. “શું ઈ આ કારણ છે કે, તમે મુસાના શાસ્ત્રનું પાલન કરયુ?” કે પછી “આ ઈ કારણ છે કે, તમે મસીહના હારા હમાસાર હાંભળા અને એની ઉપર વિશ્વાસ કરયો?”


આ મંડળી હાટુ હું પરમેશ્વર દ્વારા હોપવામાં આવેલી સેવા હાટુ સેવક બનાવામાં આવ્યો છું કે, હું પરમેશ્વરનાં હારા હમાસારને પુરી રીતેથી શિખવાડી હકુ.


કેમ કે, આપડા પરભુ ઈસુ વિષે હારા હમાસાર તમારી પાહે નો ખાલી બોલવાથી પણ સામર્થ્યથી, અને પવિત્ર આત્માથી અને પુરા વિશ્વાસની હારે તમારી પાહે પુગી છે, અને તમે જાણો છો કે, જઈ અમે તમારી હારે હતાં તઈ અમે તમારી ભલાય હાટુ કેમ રયા.


ઈ વખતમાં પરભુએ મને સામર્થ આપીને અને મારી મદદ કરી, જેથી હું ઈસુ મસીહની વિષે હારા હમાસારનો પરચાર હારી રીતેથી કરવાને લાયક થય હકુ, અને બિનયહુદીઓના બધાય લોકો હાંભળી હકે. અને એણે મને ભૂખા સિંહના મોઢામાંથી બસવાની જેમ મોતથી મને બસાવ્યો.


પરમેશ્વર પણ સમત્કારીક નિશાનીથી, અદભુત કામોથી, જુદા-જુદા પરાક્રમી કામોથી અને પવિત્ર આત્માએ પોતાની ઈચ્છા પરમાણે દાનથી તેઓને સાબિતી આપતા રયા છે.


પરમેશ્વરે તેઓને બતાવ્યું કે, ઈ તેઓને આ સંદેશાનો ખુલાશો એની પોતાની હાટુ નથી કરી રયો, પણ ઈ તમારી હાટુ કરી રયો છે. તેઓએ આ સંદેશાને તમારી હામે જાહેર કરયો કેમ કે, પવિત્ર આત્મા જેને પરમેશ્વરે સ્વર્ગથી મોક્લ્યો હતો એને આવી વાતુ કેવામાં મજબુત બનાવ્યો; જે વાતુ જાણવાની ધગસ સ્વર્ગદુતો હોતન રાખે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ