4 કેમ કે, તારા હારા હાટુ ઈ પરમેશ્વરનો કારભારી છે, પણ જો તુ ભુંડાય કરશો, તો બીક રાખ, કેમ કે, ઈ કારણ વગર તલવાર રાખતો નથી; ઈ પરમેશ્વરનો કારભારી છે, એટલે ભુંડું કરનારને ઈ કોપરૂપે બદલો આપનાર છે.
મારા મિત્રો, બદલો વાળતા નય; એને બદલે, ઈ કામ પરમેશ્વરનાં કોપને કરવા દયો. શાસ્ત્રમા લખેલુ છે કે, બદલો લેવો ઈ મારૂ કામ છે, અને હું બદલો લેય, એમ પરભુ કેય છે.
અને આ વાત ઉપર પાપ કરીને કોય પણ કોય વિશ્વાસી ભાઈથી દગો કા અન્યાય નો કરે કેમ કે, પરભુ આ બધાય કામો કરનારાને સજા આપશે; જેમ કે, અમે પેલાથી જ તમને કીધું અને સેતવણી પણ આપી હતી.
અને રાજ્યપાલને પણ આધીન રયો કેમ કે, ઈજ છે જેનો ઉપયોગ રાજા ઈ લોકોને દંડ દેવા હાટુ કરે છે, જેના કામ ખરાબ છે અને ઈ લોકોના વખાણ કરવા હાટુ જેના કામો હારા છે.