Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 12:1 - કોલી નવો કરાર

1 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને પરમેશ્વરની દયાને યાદ કરાવીને વિનવણી કરું છું કે, પોતાના દેહનુ જીવતુ, અને પવિત્ર, અને પરમેશ્વરને ગમે એવુ બલિદાન કરો, ઈ જ તમારુ ભજન કરવાનું હાસું કારણ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 12:1
49 ပူးပေါင်းရင်းမြစ်များ  

“ઈ હાટુ હું તને કવ છું કે, ઘણાય બધાય પાપ જે ઈ બાયે કરયા હતાં, ઈ એને માફ થયા છે, કેમ કે, એણે ઘણોય પ્રેમ રાખ્યો, પણ જેને થોડું માફ થયુ છે, ઈ થોડોક પ્રેમ રાખે છે.”


આ જગતના રીતી-રિવાજોનું અનુસરણ નો કરો, પણ પોતાના મનને પુરેપુરા પરિવર્તન દ્વારા તમારો વ્યવહાર પણ બદલતો જાય, જેથી તમે પરમેશ્વરની હારી અને ગમતી, અને પુરેપુરી ઈચ્છા જાણી હકો.


મસીહ ઈસુના ચાકર તરીકે મને બિનયહુદીઓ વસ્સે કામ કરવાનો અધિકાર મળ્યો છે. પરમેશ્વરનો સંદેશો પરગટ કરીને હું યાજકનું કામ કરું છું, જેથી પવિત્ર આત્માની લીધે મસીહી બનેલા બિનયહુદીઓ પરમેશ્વરને માન્ય અર્પણ થાય.


હવે વિશ્વાસુ ભાઈઓ અને બહેનો, આપડા પરભુ ઈસુ મસીહની હાટુ અને પવિત્ર આત્માના પ્રેમની હાટુ હું તમને વિનવણી કરું છું.


શું તુ પરમેશ્વરની દયા, સહનશીલતા અને ધીરજની મુડીને નકામી ગણ છો? અને શું આ નથી હમજતો કે, પરમેશ્વરની દયા તને તારા પાપોથી પસ્તાવો કરવાનું શીખવાડે છે?


અને તમારા દેહના અંગોને અન્યાયની વસ્તુ થાવા હાટુ પાપને નો હોપો, પણ મરણમાંથી જીવતા થયેલા જેવા તમે પોતાને પરમેશ્વરને હોપો અને તમારા દેહના અંગોને ન્યાયીપણાની વસ્તુ થાવા હાટુ પરમેશ્વરને હોપો.


તમે જાણો છો કે, આજ્ઞા પાળવા હાટુ તમે પસંદગી કરી હકો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો એના સેવક તમે છો; ગમે તો મરણને અરથે પાપના, અને ન્યાયીપણાને અરથે આજ્ઞા પાલન.


હું દરોજના જીવનમાંથી એક દાખલાનો ઉપયોગ કરીને કવ છું જેવી રીતે તમે પોતાના દેહના અંગોને અશુદ્તા અને પાપી કામોના ગુલામ કરીને હોપી દીધા હતાં, એવી જ રીતે હવે પોતાના અંગોને પવિત્રતાની હાટુ ન્યાયી જીવન જીવવા હાટુ હોપી દયો.


અને અગાવથી તૈયાર કરેલા દયાની વસ્તુ ઉપર એણે મહિમા પરગટ કરી છે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમારામાંથી આપડા પરભુ મસીહ ઈસુના નામમાં તમને એવું કરવા આવકારૂ છું જેમ કે, એક જ વિસાર રાખીને અને એક જ હેતુની હારે એકબીજાની હારે હું એક મન અને એક મત સ્થાપિત કરવા વિનવણી કરું છું


હું પાઉલ તમને મસીહની નમ્રતા અને ભલાઈથી વિનવણી કરું છું, જે લોકો મારી વિષે એવું કેય છે કે, જઈ હું તમારી હારે હોવ છું, નમ્ર છું, પણ જઈ તમારીથી દુર થાવ છું, તઈ તમારી હાટુ હિમંતવાન છું


ઈ હાટુ જઈ આપડી ઉપર એવી દયા થય કે, આપડે પરમેશ્વરનાં સંદેશાનો પરચાર કરવાની સેવા મળી, તો આપણે હિંમત નથી હારતા.


જેથી અમે થાકી જાતા નથી; પણ જો અમારુ દેહિક જીવન ધીરે-ધીરે નાશ થાતું જાય છે, પણ અમારી અંદરનું આત્મિક જીવન દરોજ તાજું થાતું જાય છે.


ઈ હાટુ આપડે મસીહના રાજદૂત છયી, માનો પરમેશ્વર આપડી દ્વારા તમારીથી વિનવણી કરે છે, આપડે મસીહ તરફથી અપીલ કરે છે કે, પરમેશ્વરની હારે મેળ કરી લ્યો.


હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો.


હું પાઉલ પરભુનો કેદી બનેલો તમને વિનવણી કરું છું કે, પરમેશ્વરે તમને આમંત્રણ આપ્યુ તઈ તમારી હાટુ એણે નક્કી કરેલા તેડા પરમાણે તમે જીવન જીવો.


અને ઈ ગોતવાનો પ્રયત્ન કરો કે, શું પરભુને રાજી કરે છે.


મારી બોવ ઈચ્છા અને આશા આ છે કે, હું કોય વાતોમાં આબરૂ વગરનો નો થાવ, પણ મને ઈસુ મસીહ વિષે બોલવાની હિંમત થાય, જેમ કે, મે પેલાના દિવસોમાં કરયુ હતું. ભલે હું જીવતો રવ કે, મરી જાવ, પણ હું મારા પુરા જીવનથી ઈસુ મસીહને માન આપતો રેય.


તમારો વિશ્વાસના બલિદાન ઉપર જો મારે પેયાર્પણ તરીકે રેડાવું પડે તો ઈ હાટુ હું રાજી છું અને તમારા બધાયની હારે રાજી રય હકુ છું


મારી પાહે બધીય વસ્તુઓ છે; અને ઈય ઘણુય છે. તમારુ દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યું છે. એથી હું સમૃદ્ધ છું ઈ તો સુગંધી ધૂપ પરમેશ્વરને ગમતું માન્ય બલિદાન છે.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.


અને આખા મકદોનિયાના સાથી વિશ્વાસી ભાઈઓ હારે એવો પ્રેમ રાખો પણ છો. પણ હે મારા વાલા, અમે તમને વિનવણી કરી છયી કે, હજી પણ વધારે એકબીજા હારે પ્રેમ રાખો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી કે, જે પરભુમાં તમારા આગેવાન છે, અને તમારી વસે મેનત કરે છે, અને તમને શીખવાડે છે, એને માન આપો.


એવુ કરવુ આપડા તારનાર પરમેશ્વરને હારું લાગે છે અને રાજી પણ કરે છે.


અને જો કોય રંડાયેલ બાયુના બાળકો હોય, અથવા દીકરા દીકરીઓ હોય તો મસીહ વિશ્વાસી હોવાના કારણે તેઓ પેલા પોતાના પરિવારની દેખરેખ રાખે. એવુ કરીને તેઓ પોતાના માં-બાપ, દાદા-દાદી, અને આય-આપાના ઉપકારોને પાછા આપે છે. આ પરમેશ્વરને ગમે છે.


હું ઓનેસિમસને લીધે તને વિનવણી કરું છું, જે મારા દીકરાની જેવો છે. જઈ હું જેલખાનામાં હતો ન્યાથી ઈ મસીહમા મારો દીકરો બની ગયો.


પણ હું એવુ નય કરૂ. હું તને ખાલી આ કરવાનું કવ છું કેમ કે, આપડે એક-બીજાને અને પરમેશ્વરનાં લોકોને પ્રેમ કરી છયી. હું પાઉલ, એક ગવઢો માણસ હોવા છતાં તને પુછું છું, અને મસીહ ઈસુની સેવા કરવાને કારણે જેલખાનામાં પણ છું.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું તમને વિનવણી કરું છું કે, આ ધીરજ અને ધ્યાનથી સંદેશો હાંભળો જે મેં તમને પ્રોત્સાહન કરવા હાટુ ટુકમાં લખ્યો છે.


પરમેશ્વર પાક્કી રીતે ખુશ નય થાય જો તમે કાય ખોટુ કરો છો અને પછી ઈ તમને એની લીધે મારે છે. પણ જો તમે એવુ જ કરો છો જે હારું છે અને તોય તમે પીડા ભોગવો છો, તો તમે હારા કામ કરવા હાટુ પીડા ભોગવો છો. જો તમે એને સહન કરો છો, તો પરમેશ્વર તમારા વખાણ કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ