Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 11:7 - કોલી નવો કરાર

7 એટલે શું? ઈ જ કે, ઈઝરાયલ દેશની પ્રજા જેને ગોતતી હતી, ઈ તેઓને મળ્યુ નય; પણ પરમેશ્વરે ગમાડેલાઓ એવા થોડાકને જ મળ્યુ છે પરમેશ્વરનાં આમંત્રણ સબંધી બાકીના બધાય બેરા બની ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 11:7
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે તેઓએ ઈસુને ઘણીય વાર જોયો હતો કે, પાછળના દિવસોમાં જઈ એણે પાચ હજાર લોકોને ખાવાનું ખવડાવ્યુ હતું, પણ તેઓ હજી હુધી હમજયા નય કે ઈ કેટલો શક્તિશાળી હતો, જે તેઓને હંમજવું જોયી.


હાકડે કમાડથીજ અંદર ઘરો કેમ કે, પરમેશ્વરનાં રાજ્યમાં ઘરવું ખુબજ મુશ્કેલ છે, ઈ હાટુ હું તમને કવ છું કે, ઘણાય માણસો અંદર ઘરવાની કોશિશ કરશે, પણ તેઓ અંદર ઘરી હકશે નય.


પરમેશ્વરે તેઓની આંખુ આંધળી અને તેઓના મનને કઠોર કરી નાખ્યા છે, ક્યાક એવુ નો થાય કે, તેઓ આંખુથી જોય અને મનથી હમજે અને તેઓ પસ્તાવો કરે અને તેઓ પાપોની માફી હાટુ મને પ્રાર્થના કરે અને ઈ કારણે હું તેઓને હાજા કરી દવ.


કેમ કે, પરમેશ્વરની હારે ન્યાયીપણામાં આવવાનો મારગ તેઓ જાણતા નથી. પોતાના મારગ ઉપર હાલતા તેઓ પરમેશ્વરનાં મારગને આધીન થાતા નથી.


કેમ કે, મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પોતાને બુદ્ધિમાન નો હમજો, ઈ હાટુ મારી ઈચ્છા નથી કે, આ ભેદ વિષે તમે અજાણ્યા રયો કે, બિનયહુદીઓની સંપૂર્ણતા અંદર આવે ન્યા હુધી ઈઝરાયલ દેશને કઠીનતા થય છે.


એવી જ રીતે, આ વખતે પણ પરમેશ્વરની કૃપાના કારણે, આ યહુદીઓના થોડાક લોકો છે જેને પરમેશ્વરે પોતાના હાસા લોકો થાવા હાટુ ગમાડીયા છે.


તો અમે શું કય હકી છયી? શું આપડે યહુદીઓ બિનયહુદીઓથી વધારે હારા છયી? નય! કોયદી નય! કેમ કે, આપડે યહુદીઓ અને ગ્રીકો બેય ઉપર આ ગુનો લગાડી સુક્યા છયી કે, ઈ બધાય પાપની તાકાતને આધીન છે


તો શું આપડે શાસ્ત્રને નય, પણ પરમેશ્વરની કૃપાને આધીન છયી, ઈ હાટુ શું આપડે પાપ કરતુ રેવું? ના કોયદી નય.


ઈ હાટુ ઈ ઈચ્છે એની ઉપર દયા કરે છે; અને ઈ ઈચ્છે એને હઠીલો કરે છે.


અને અગાવથી તૈયાર કરેલા દયાની વસ્તુ ઉપર એણે મહિમા પરગટ કરી છે.


હું શું કેવાની કોશિશ કરી રયો છું? મૂર્તિઓ હાસા દેવતા નથી, જેની હાટુ બલિદાન કરવામાં આવે છે અને ઈ બલિદાન કાય મુલ્ય હોય છે? નય!


પણ તેઓ મંદ બુદ્ધિના થય ગયા છે, કેમ કે આજ હુધી મુસાનો કરાર વાસતી વખતે તેઓના હ્રદયો ઉપર ઈ જ પડદો રેય છે, પણ ખાલી મસીહ ઉપર વિશ્વાસ કરવા દ્વારા જ ઈ પડદો હટાવી દેવામાં આવે છે.


આ જગતના દેવ શેતાને અવિશ્વાસીઓના મનોને આંધળા કરી નાખ્યા છે, ઈ હાટુ કે, મસીહ જે પરમેશ્વરની પ્રતિમા છે, એના મહિમાના હારા હમાસારનું અંજવાળુ તેઓની ઉપર નો થાય.


જેમ કે, જગતની સૃષ્ટિની શરૂઆત પેલા જ મસીહની હારે આપડી એકતાના કારણે પરમેશ્વરે આપણને પોતાના થાવા હાટુ ગમાંડ્યા. જેથી આપડે એના પ્રેમમાં પવિત્ર અને દોષ વગરના થય હકી.


તેઓની બુદ્ધિ ઉપર અંધારૂ ફેલાય ગયુ છે અને ઈ અજ્ઞાનતાનાં લીધે જે એનામાં છે અને એના હાંભળવાને ઈચ્છુક નો હોવાને કારણે તેઓ ઈ જીવનથી આઘા છે જે પરમેશ્વર આપે છે.


તો પણ શું થયુ? બળતરાથી કે હાસાયથી મસીહની સુવાર્તાનો પરચાર કરવામા આવે છે, અને હું એનાથી રાજી છું, અને રાજી રેય.


તમને ખબર છે કે, પછી જઈ એસાવ પોતાના બાપના આશીર્વાદ મેળવવા ઈચ્છતો, તઈ એને નો આપવામાં આવ્યા, અને રોય-રોયને એણે આશીર્વાદ માગવાની કોશિશ કરી તો પણ એણે જે કરયુ હતું એણે મન બદલવાનો કોય અવસર નો મળ્યો.


પરમેશ્વર બાપે ઘણાય વખત પેલા જ તમને પોતાના લોકો થાવા હાટુ અને પવિત્ર આત્માના કામો દ્વારા પવિત્ર કરવા હાટુ ગમાડીયા છે, એણે એવુ ઈ હાટુ કરયુ કે, જેથી તમે ઈસુ મસીહની આજ્ઞા પાલન કરશો અને એના લોહીથી શુદ્ધ થય હકશો, હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમને કૃપા અને ખુબ શાંતિ આપે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ