પણ જો ઉજેરવામાં આવેલા જૈતુન ઝાડની કેટલીક ડાળ્યું તોડી નાખવામાં આવી છે, અને જંગલી જૈતુન ઝાડની ડાળ્યુંની એમા કલમ કરવામા આવી છે. તમે બિનયહુદીઓ પેલા જંગલી જૈતુન ઝાડની ડાળ્યું જેવા હતા. હવે યહુદીઓનું મુળ જે તાકાત અને રસથી ભરેલું છે એના જીવનમાં તમે ભાગીદાર થયા છો.
આયા આપડે જોયી છયી કે, પરમેશ્વર દયાળુ તો છે, પણ હારોહાર કઠણ હોતન છે. જેઓ પડી ગયા તેઓની ઉપર પરમેશ્વરનો કોપ આવ્યો. જો તુ પરમેશ્વરની દયાને વળગી રેય, તો પરમેશ્વર તારી ઉપર દયા સાલું રાખશે, નકર તને હોતન કાપી નાખવામાં આયશે.
જો તમે બધાય આ વાતોને એક વખત જાણી ગયા છો, તો પણ હું તમને આ વાતોને યાદ કરાવવા માગું છું કે, પરભુએ ઈઝરાયલનાં લોકોને ગુલામ બનવાથી બસાવ્યા, અને મિસર દેશમાંથી બારે લાવ્યો. પણ પછી એણે ઈ બધાયને મારી નાખ્યા, જેઓએ રણપરદેશમા એની ઉપર ભરોસો કરયો નય.