Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 11:20 - કોલી નવો કરાર

20 આ હાસુ છે. અવિશ્વાસને લીધે એને તોડી નાખવામાં આવી, અને વિશ્વાસને લીધે તુ ઈ જગ્યાએ ટકી રયો છો; છતાં અભિમાન કરવુ નય, પણ બીક રાખ,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 11:20
43 ပူးပေါင်းရင်းမြစ်များ  

હું તમને કવ છું કે, “ઈ પેલો નય, પણ ઈ વેરો ઉઘરાવનારો જ પરમેશ્વરની હામે ન્યાયી ઠરયો, અને ઈ પોતાના ઘરે વયો ગયો, કેમ કે, જે કોય માણસ પોતાને ઉસો બનવા ઈચ્છે છે, એને નીસો કરવામાં આયશે, અને જે કોય પોતાને નીસો કરશે, એને ઉસો કરવામાં આયશે.”


પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”


ઈ ડાળ્યું વિષે જે કાપી નાખવામાં આવી હતી, એની ઉપર તુ અભિમાન કરવુ નય, અને જો તુ અભિમાન કર, તો ધ્યાન રાખ કે, તુ મુળયાને નય, પણ મુળયા તને મદદ કરે છે.


કેમ કે, જો પરમેશ્વરે અસલ ડાળ્યુંને બસાવી નય, તો ઈ તને હોતન નય બસાવે.


અંદરો-અંદર એક મનના થાવ; અભિમાન નો કરો, પણ સામાન્ય લોકો હારે સંગત રાખો. તમે જ બુદ્ધિમાન સો એવુ નો હંમજો.


કેમ કે, હું ઈ કૃપાના કારણે જે મને મળી છે, તમારામાથી દરેકને કહુ છું કે, જેવી રીતે હંમજવુ જોયી, એનાથી વધારે કોય પણ પોતાની જાતને નો હંમજે, પણ જેમ પરમેશ્વરે તમને જેટલો વિશ્વાસ આપ્યો છે એની પરમાણે નમ્રતાથી હમજે.


જો કેટલાક યહુદી પરમેશ્વરની પ્રત્યે વિશ્વાસ લાયક નોતા તો શું થયુ? તો શું એનો અરથ આ છે કે, પરમેશ્વર એની હારે કરેલા પોતાના વાયદાને પુરા કરવામા અવિશ્વાસ થાહે?


તો, કોય પણ વિશ્વાસી જે વિસારે છે કે, ઈ પોતાના વિશ્વાસમાં સુરક્ષિત છે ઈ હાટુ સાવધાન રેય કે, જેથી લાલસમાં આવીને પાપમાં નો પડે.


હવે ભાઈઓ અને બહેનો જે હારા હમાસાર મેં તમને પરગટ કરા છે જેને તમે પણ અપનાવા છે, અને એમા તમે મજબૂત પણ રયા છો,


જાગૃત રયો, વિશ્વાસમાં મકમ રયો, સાહસી માણસ બનો, વિશ્વાસમાં મજબુત બનો.


અમે તમારા વિશ્વાસ ઉપર રાજ કરી છયી એમ નય, પણ તમારી રાજી-ખુશીમાં મદદ કરનારા છયી; કેમ કે, તમે વિશ્વાસથી મજબુત રયો છો.


એના દ્વારા આપડે ઈ દરેક વિરોધને, ઈ દરેક અભિમાન કરવાવાળાને, જે પરમેશ્વરનાં જ્ઞાનની વિરુધ માથું ઉસુ કરે છે એને પછાડી દેય છે, અને દરેક વિસારોને કાબુ કરીને મસીહને આધીન બનાવી દેય છે.


એથી મારા વાલા ભાઈઓ, તમે જેમ સદાય આધીન રેતા હતાં એમ, ખાલી મારી હાજરીમાં જ નય, પણ હવે વિશેષ કરીને મારી ગેરહાજરીમાં પણ બીક અને ધ્રુજારીથી તમારુ તારણ પુરું થાય એવી કોશિશ કરો.


મસીહમા તમારો વિશ્વાસ એક ઝાડવાના મુળયાની જેમ ઉડા વધતા જાય અને એક મજબુત પાયાની ઉપર બનાવે ઘરની જેમ હોય. જેમ તમને શિખવાડયુ છે એમ જ વિશ્વાસમા મજબુત થાતા જાવ અને વધારેને વધારે આભાર માનતા રયો.


માણસો જેનું ભજન કરે છે અને જેને પરભુ માંને છે ઈ બધાયનો ઈ પાપી માણસ નકાર કરશે. ઈ બધાય કરતાં પોતાને મોટો મનાવશે, અને પરમેશ્વરની વિરુધ મંદિરમાં જયને એની જગ્યાએ બેહીને પરમેશ્વર હોવાનો દાવો કરશે.


આ જગતના માલદાર લોકોને હુકમ કર કે, તેઓ અભિમાની નો બને, અને થોડાક વખત હાટુ રેનારા પોતાના રૂપીયા ઉપર ભરોસો નો કર, પણ પોતાના સુખ હાટુ બધુય દાતારીથી દેનારો પરમેશ્વરની ઉપર આશા રાખ.


હે ભાઈઓ, સાવધાન રયો કે, તમારામાંથી કોયનું મન ખરાબ અને અવિશ્વાસી નો બને; જેથી જીવતા પરમેશ્વરનો નકાર કરી દેય છે.


એમા આપણને ખબર પડે છે કે, તેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું આ કારણે તેઓ આરામની જગ્યામાં પ્રવેશ કરી હક્યાં નય.


ઈ હાટુ આપડે ઈ આરામની જગ્યામાં આવવા હાટુ જેટલી થય હકે એટલી કોશિશ કરવી જોયી, એવું નો થાય કે, કોય એની જેમ પરમેશ્વરની આજ્ઞા માનવાનો નકાર કરી દેય અને સજા ભોગવે.


જેથી કેટલાકને એમા અંદર આવવાનું બાકી હતું અને જેઓને પેલા હારા હમાસાર પરગટ કરવામાં આવ્યા હતા, તેઓએ આજ્ઞાનો ભંગ કરયો. જેથી તેઓ અંદર આવી હક્યાં નય,


તને વિશ્વાસ છે કે, એક જ પરમેશ્વર છે, તો તમે હારું કરો છો, અને મેલી આત્માઓ પણ આ વિશ્વાસ કરે છે, અને બીકથી ધ્રૂજવા મંડે છે.


પણ ઈ આપણને એવી ખરાબ લાલસની વિરુધમાં ઉભો રેવાને લીધે હજી વધારે કૃપા આપે છે. ઈ હાટુ પવિત્ર શાસ્ત્રમા ઈ લખેલુ છે કે, “પરમેશ્વર અભિમાનીઓનો વિરોધ કરે છે, પણ નમ્ર માણસ ઉપર કૃપા કરે છે.”


જઈ તમે પ્રાર્થના કરો છો તો તમે પરમેશ્વરને હે બાપ કયને પ્રાર્થના કરો છો, પણ યાદ રાખો કે પરમેશ્વર પક્ષપાત નથી કરતો, અને દરેકનો કામ પરમાણે ન્યાય કરે છે. ઈ હાટુ જ્યાં હુધી તમે આ જગતમાં પરદેશી થયને રયો છો, ન્યા હુધી પરમેશ્વરની બીક રાખીને જીવન જીવો.


મે આ નાનો પત્ર સિલાસની મદદથી લખ્યો અને તમને મોકલ્યો છે. હું એને મસીહમા એક વિશ્વાસ લાયક સાથી માનું છું મારું આ લખવાનો હેતુ તમને ઉત્સાહિત કરવા અને વિશ્વાસ કરાવવા હાટુ છે કે, જે કાય પણ તમે અનુભવી રયા છો ઈ ખરેખર તમારા હાટુ પરમેશ્વરની કૃપાનો ભાગ છે. આ કૃપામાં સ્થિર રેજો.


એની વિરુધ ઉભા રય જાવ. મસીહ અને એના સંદેશા ઉપર વિશ્વાસમા મજબુત રયો, ઈ યાદ કરતાં કે, આખા જગતના તમારી હારના વિશ્વાસીઓ આવી રીતની કઠણાયનો સામનો કરી રયા છે.


તુ એને નક્કી વધારે પીડા અને દુખ દેવડાવય જે એના મોજ-શોખના જીવન અને એના પાપ હાટુ અભિમાન બરાબર છે. એણે પોતાને કીધું કે, “હું એક રાણીની જેમ લોકો ઉપર રાજ કરય, હું કાય રંડાયેલ નથી અને હું દુખનો અનુભવ નથી કરતી.”


તુ કેય કે તુ ધનવાન છો અને તારી પાહે ઈ બધુય છે; જેની તને જરૂર છે, પણ તુ નથી જાણતો કે શું હાસુ છે, તારી ઉપર દયા આવવી જોયી, કેમ કે હાસુ આ છે કે તુ ગરીબ છો, તારી પાહે લુગડા નથી, અને તુ આંધળો છો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ