Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 1:25 - કોલી નવો કરાર

25 કેમ કે, તેઓએ પરમેશ્વરની હાસને બદલે ખોટાને સ્વીકારે છે, અને રસના કરનાર જે સદાકાળ મહિમાવાન છે. આમીન એની જગ્યાએ સૃષ્ટિનું ભજન અને સેવા કરી.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 1:25
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

મારા કરતાં જે બાપ કા એની માં વતી પ્રેમ કરે છે, ઈ મારી લાયક નથી, અને જે દીકરી કા દીકરાને મારાથી વધારે વાલો માંને છે, ઈ મારો ચેલો બનવાને લાયક નથી.


કોય પણ માણસ એક વખતે બે ધણીની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે, નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.


તઈ ઈસુએ તેઓને કીધું કે, “હવે પાણી કાઢીને જમણવારના મુખીની પાહે લય જાવ.” એટલે ઈ પાણીને તેઓની પાહે લય ગયા.


પરમેશ્વરનો ગુસ્સો તો ઈ લોકોના બધાય પરકારના પરમેશ્વર વિનાના અને અન્યાયી કામ ઉપર સ્વર્ગથી પરગટ થાય છે. તેઓ ઈ ભુંડાય દ્વારા જે ઈ કરે છે બીજાને પરમેશ્વરની વિષે હાસને જાણવાથી રોકે છે.


તેઓ પરમેશ્વરની મહિમાને બદલે, નાશવંત માણસ, અને પંખીઓ, અને સ્યાર પગવાળા પશુઓ, અને પેટે હાલનારા જીવ જનાવરોને મૂર્તિમાં બનાવીને એનુ ભજન કરયુ.


વડવાઓ તેઓના છે, અને મસીહ દેહ પરમાણે તેઓમાનો છે; બધાય ઉપર રાજ કરનાર પરમેશ્વરનો સદાય મહિમા થાય, આમીન.


પરમેશ્વર, આપડા પરભુ ઈસુનો બાપ જેનું નામ સદાય હાટુ આશીર્વાદિત છે, ઈ જાણે છે કે, હું ખોટુ કેતો નથી.


એને મંડળીમાં અને મસીહ ઈસુમાં મહિમા સદાયની હાટુ અનંત યુગે-યુગ હુધી રેય! આમીન.


કેમ કે, ઈ લોકો તમારી વિષે બીજા લોકોને ઈ બતાવે છે કે, જઈ અમે તમારી પાહે આવ્યા તઈ તમે અમારો કેવો સ્વાગત કરયો, અને તમે કેવી રીતે મૂર્તિપૂજા મુકીને પરમેશ્વર તરફ વળ્યા, જેથી જીવતા અને હાસા પરમેશ્વરની સેવા કરો.


આ હાસુ શિક્ષણ અદભુત પરમેશ્વરની મહિમા વિષે હારા હમાસારથી સહમત થાય છે, જેણે મને પરચાર કરવાની જવાબદારી આપી છે.


હવે અનંતકાળનો રાજા, જેનો કોય દિ વિનાશ થાતો નથી, જે દેખાતો નથી, અને ખાલી એક જ પરમેશ્વર છે એને અનંતકાળ માન અને મહિમા હોય, આમીન.


દગો દેનારા, વગર વિસારે ઉતાવળા કામો કરનારા, અભિમાન કરનારા અને પરમેશ્વરમા પ્રેમ નય રાખનારા પણ મોજ-મજા કરનારા હશે.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ