પ્રકટીકરણ 8:7 - કોલી નવો કરાર7 પેલા સ્વર્ગદુતે પોતાનુ રણશિગડું વગાડુ, તરત લોહી ભળેલો ખુબ જાજો કરાનો વરસાદ અને આગ પૃથ્વી ઉપર પડયા, એને લીધે પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો અને ત્રીજા ભાગના ઝાડ બળી ગયા અને બધુય લીલું ખડ હોતન બળી ગયુ အခန်းကိုကြည့်ပါ။ |
એની પછી, મે સ્યાર સ્વર્ગદુતોને જગતના સ્યારેય ખૂણામા ઉભેલા જોયા, એક ઉત્તર દિશામા, એક દક્ષિણ દિશામા, એક પૂર્વ દિશામા અને એક પશ્ચિમ દિશામા આ સ્વર્ગદુતોને જગતમાં મુશ્કેલીઓથી નુકશાન કરવાનો પરમેશ્વર તરફથી અધિકાર મળેલો હતો, પછી ઈ દરીયામાં હોય કે પૃથ્વી ઉપર એણે જગતના સ્યારેય ખૂણેથી હવાને રોકી લીધી જેથી દરીયામા અને પૃથ્વી ઉપર અને કોય પણ ઝાડ ઉપર હવા હાલે નય. મે એકબીજા સ્વર્ગદુતને ઉગમણી દિશાથી પરગટ થાતા જોયો, એની પાહે પરમેશ્વર જે સદાય જીવે છે એની એક મુદ્રા હતી. ઈ સ્વર્ગદુતે ઉસા અવાજથી ઈ સ્યાર સ્વર્ગદુતોને હાક મારીને કીધું કે,