Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 7:1 - કોલી નવો કરાર

1-2 એની પછી, મે સ્યાર સ્વર્ગદુતોને જગતના સ્યારેય ખૂણામા ઉભેલા જોયા, એક ઉત્તર દિશામા, એક દક્ષિણ દિશામા, એક પૂર્વ દિશામા અને એક પશ્ચિમ દિશામા આ સ્વર્ગદુતોને જગતમાં મુશ્કેલીઓથી નુકશાન કરવાનો પરમેશ્વર તરફથી અધિકાર મળેલો હતો, પછી ઈ દરીયામાં હોય કે પૃથ્વી ઉપર એણે જગતના સ્યારેય ખૂણેથી હવાને રોકી લીધી જેથી દરીયામા અને પૃથ્વી ઉપર અને કોય પણ ઝાડ ઉપર હવા હાલે નય. મે એકબીજા સ્વર્ગદુતને ઉગમણી દિશાથી પરગટ થાતા જોયો, એની પાહે પરમેશ્વર જે સદાય જીવે છે એની એક મુદ્રા હતી. ઈ સ્વર્ગદુતે ઉસા અવાજથી ઈ સ્યાર સ્વર્ગદુતોને હાક મારીને કીધું કે,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 7:1
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ રણશીંગડાના મોટા અવાજો હારે પોતાના સ્વર્ગદુતોને આખી પૃથ્વીમાંથી પોતાના ગમાડેલા લોકોને ભેગા કરવા મોકલશે.


ઈ વખતે ઈ રણશીંગડાના મોટા અવાજો હારે પોતાના સ્વર્ગદુતોને આખી પૃથ્વીમાંથી પોતાના ગમાડેલા લોકોને ભેગા કરવા મોકલશે.


જઈ હજાર વરહ પુરા થાહે તો સ્વર્ગદુત શેતાનને જ્યાં ઈ બંધાયેલો છે ન્યાથી છોડી દેહે અને ઈ એવા દેશોને દગો દેવા હાટુ બારે આવી જાહે જે આખા જગતમાં ફેલાયેલા છે આ દેશનાં લોકોને ગોગ અને માગોગ કેવામાં આવે છે, શેતાન એને બધાયને એક જગ્યાએ ભેગા કરશે જ્યાં ઈ યુદ્ધ કરશે, ઈ ઘણાય બધાય હશે જેમ કે, દરિયાની રેતીની જેમ એને કોય ગણી નય હકે.


મે ઈ સ્યાર જીવતા પ્રાણીઓની વસેથી કોય માણસના અવાજ જેવું હાંભળ્યું, ભવિષ્યમાં પૃથ્વી ઉપર દુકાળ થાહે ઈ હાટુ “એક દીનારનાં એક કિલો ઘઉં અને એક દીનારનાં ત્રણ કિલો જવ હશે, પણ જૈતુન તેલ અને દ્રાક્ષારસને નુકશાન નો થાય.”


“જ્યાં હુધી આપડા પોતાના પરમેશ્વરનાં ચાકરોના માથા ઉપર મુદ્રાઓ લગાડી નો દેયી, ન્યા હુધી પૃથ્વી અને દરીયા અને ઝાડવાનો નાશ કરવો નય.”


પેલા સ્વર્ગદુતે પોતાનુ રણશિગડું વગાડુ, તરત લોહી ભળેલો ખુબ જાજો કરાનો વરસાદ અને આગ પૃથ્વી ઉપર પડયા, એને લીધે પૃથ્વીનો ત્રીજો ભાગ બળી ગયો અને ત્રીજા ભાગના ઝાડ બળી ગયા અને બધુય લીલું ખડ હોતન બળી ગયુ


અને અવાજે છઠ્ઠા દુતને કીધુ જેણે રણશિંગડું પકડુ હતુ “હવે ઈ સ્યારેય દુતોને ખોલી નાખો જે યુફ્રેટિસ નામની મોટી નદીના કિનારા ઉપર બાંધેલા હતા.”


જેમ કોયને વીંછીના ડંખમારવાથી પીડા થાય છે એમ જ આ ટીડડાઓને પાસ મયના હુધી ઈ લોકોને નુકશાન પુગાડવાની પરમેશ્વરે રજા દીધી હતી. જેના માથા ઉપર પરમેશ્વરની મુદ્રાની નિશાની નોતી. ટીડડાઓને કીધુ કે, તમારે પૃથ્વીના કોય પણ ખડને, કોય પણ છોડવાઓને કે ઝાડને નુકશાન પુગાડવુ નય,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ