Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 21:12 - કોલી નવો કરાર

12 આ શહેરની સ્યારેય બાજુ એક બીજી બોવ જ ઉસી દીવાલ હતી, એમા બાર દરવાજા હતાં, અને એમાંથી દરેક દરવાજા ઉપર એક સ્વર્ગદુતની સોકી હતી, અને આ દરેક દરવાજા ઉપર એક એક એવી રીતે ઈઝરાયલ દેશના બારેય કુળોના નામ લખેલા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 21:12
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

સાવધાન રયો કે, આ નાનાઓમાંથી એકને પણ તમે નો વખોડો; કેમ કે, હું તમને કવ છું કે, સ્વર્ગમાં તેઓના સ્વર્ગદુત મારા સ્વર્ગમાંના બાપનું મોઢું સદાય જોય છે.


હું તમને કવ છું કે; “ઈ જ રીતે જઈ પાપી માણસ પાપોથી પસ્તાવો કરે છે, તઈ સ્વર્ગદૂતો પરમેશ્વરની હામે રાજી થાય છે.”


એક દિવસ ઈ ગરીબ લાજરસ મરી ગયો, અને સ્વર્ગદુત એને ઈબ્રાહિમની હારે રેવા હાટુ લય ગયા, અને એક દિવસે ઈ રૂપીયાવાળો માણસ પણ મરી ગયો, અને એને ડાટી દેવામાં આવ્યો.


આ વાયદાને પુરો કરવાની આશા રાખીને, આપડા બાર કુળના લોકો પોતાના હાસા મનથી રાત-દિવસ પરમેશ્વરનુ ભજન કરતાં આવ્યા છે, હે રાજા, આ જ આશાનાં કારણે યહુદી લોકો મારા ઉપર આરોપ લગાડે છે.


તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.


શહેરની બધીય દિશામાં ત્રણ-ત્રણ દરવાજા હતાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ દિશામાં હતાં.


જે સ્વર્ગદુત મારી હારે વાતો કરી રયો હતો, એની પાહે શહેરને, એના દરવાજાને અને એની દીવાલને માપવા હાટુ એક હોનાની લાકડી હતી.


ઈ શહેરના બધાય દરવાજા આખો દિવસ ખુલ્લા રેય છે, ઈ કોયદી બંધ નથી થાતા કેમ કે, ન્યા કોયદી રાત નથી થાતી


આશીર્વાદિત છે તેઓ, જે પોતાના લુગડાને ઘેટાના બસ્સાના લોહીથી શુદ્ધ બનાવી લેય છે કેમ કે, તેઓને ઈ શહેરના દરવાજાથી અંદર આવવાનો અધિકાર દેવામા આયશે અને ઈ ઝાડથી ફળ ખાવાનો અધિકાર આપવામા આયશે જે જીવન આપનાર છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ