Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 20:14 - કોલી નવો કરાર

14-15 ઈ બધાય લોકોને જેનું નામ જીવની સોપડીમા લખેલુ નોતુ તેઓને આગની ખાયમાં ફેકી દેવામાં આવ્યા, એની પછી હવે કોય મોત નથી હવે અધોલોક નથી કેમ કે, ઈ જેના નામ જીવની સોપડીમા નોતા લખવામાં આવ્યા એને આગના દરિયામાં ફેકી દેવામાં આવ્યા આને જ બીજુ મોત કેવામાં આવે છે જે આગના દરિયામાં દંડ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 20:14
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

બધાયથી છેલ્લા વેરીનો નાશ કરવામાં આયશે, ઈ મરણ છે.


કેમ કે, આપડુ આ દેહ જે સરળતાથી મરી જાય છે અને હડી જાય છે, એને એક દેહમાં બદલાય જાવું જોઈએ જે કોયદી મરતુ નથી અને કોયદી હડી જાતુ નથી.


હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું


તઈ પરમેશ્વરનાં કોપની જેમ દ્રાક્ષારસ જે એના ગુસ્સાના પ્યાલામાં બધીય તાકાતથી નાખ્યુ છે ઈ પીવું પડશે અને પવિત્ર સ્વર્ગદુતોની અને ઘેટાના બસ્સાની હામે આગમાં અને ગન્ધકમાં ઈ પીડાને ભોગવવી પડશે.


અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.


જે કોય પણ મારા સંદેશાને હમજવા માગે છે, ઈ એવી વાતુને ધ્યાનથી હાંભળે જે પરમેશ્વરનો આત્મા મંડળીઓને કેય છે, બધાય લોકો જે ભૂંડાઈને હરાવી દેય છે, ઈ કોયદી બીજીવાર નય મરે.”


પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.


આશીર્વાદિત અને પવિત્ર ઈ છે, જેને આ પેલી જ વારમા ફરીથી મરેલામાંથી જીવતા થયા છે, એવા ઉપર બીજા મોતનો કોય અધિકાર નથી, પણ ઈ પરમેશ્વર અને મસીહના યાજક હશે અને એની હારે હજાર વરહ હુધી રાજ્ય કરશે.


ઈ એની આંખુના બધાય આહુડા લુહી નાખશે, અને ન્યા મોત, હોગ, રોવાનું, કે દુખાવો થાહે નય. ઈ હવે નય રેય કેમ કે, જુની વાતુ વય ગય છે.


પણ જે સતાવણીની બીકથી મને છોડી દેય છે અને મારી ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે એને ગંધકની આગમાં ફેકી દેવામાં આયશે, એવી જ રીતે એને પણ જે ભુંડુ કરે છે અને હત્યાઓ કરે છે અને છીનાળવાઓ કરે છે અને પોતાના સાથીઓની હારે મેલી વિદ્યા કરે છે અને મૂર્તિનું ભજન કરે છે અને બધુય ખોટુ બોલનારા એને પણ ગંધકની આગમાં નાખી દેવામાં આયશે, આને જ બીજુ મોત કેવાય છે.”


તઈ મે એક આછા પડેલા દરેક રંગના ઘોડા જોયા, અને એની ઉપર બેઠેલાનું નામ મોત હતું, અને અધોલોકની જગ્યાએ એની વાહે-વાહે હાલતો આવતો હતો, અને એને આ અધિકાર મળ્યો હતો કે, પૃથ્વી ઉપર રેનારા સોથા ભાગના લોકોને મારી નાખે, તેઓએ એને તલવારથી, ભુખથી, ભુંડી બીમારીઓથી અને પૃથ્વીના જંગલી જનાવરોથી મરાવી નાખ્યા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ