8 એની લીધે એની ઉપર અસાનક મુશ્કેલીઓ આવી પડશે. ખાલી એક જ દિવસમાં બીમારી, હોગ અને દુકાળ એની ઉપર એક હારે આવી જાહે. અને એને આગમાં બાળી નાખવામાં આયશે કેમ કે, પરભુ પરમેશ્વર શક્તિશાળી છે અને ઈ એને દંડ દેહે.
આમ કેવા લાગ્યા કે, “હે સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વર, જે છે, અને જે હતો, અમે હાસીન તારો આભાર માની છયી કેમ કે, તે હવે પોતાનુ મહાન સામર્થ્ય દેખાડયુ છે અને ઈ હવે પૃથ્વી ઉપર પોતાનુ રાજ્ય સાલું કરી દીધુ છે.
ઈ વખતે આયશે જઈ હિંસક પશુ ઈ દસ રાજાઓની હારે જે એની હારે છે, ઈ વેશ્યાને ધિક્કારશે જે એની ઉપર બેઠી છે, તેઓ એની ઉપર હુંમલો કરશે અને એનો નાશ કરશે, અને એને આખીય બાળી નાખશે.
એણે પોતાની બધીય મિલકત અસાનક જ ખોય નાખી છે.” અને વહાણના બધાય ખલાસી, ઈ બધાય લોકો જે વહાણથી યાત્રા કરે છે, અને ઈ બધાય જે દરિયામાંથી પોતાની આજીવિકા કમાય છે, બાબીલોનથી બોવ જ આઘા ઉભા રયને જોતા રયા.
તેઓએ પોતાનુ દુખ બતાવવા હાટુ પોતાના માથા ઉપર ધૂળ નાખી અને રોતા અને હોગ કરતાં રાડ નાખીને કેહે કે, “હાય! હાય! મોટા નગર, જેના વહાણોના બધાય માલીક ઈ શહેરની મિલકતને લીધે ધનવાન થય ગયા, અને હવે ખાલી એક કલાકમાં જ આ બધુય અલોપ થય જાહે.”