16 ઈ વખતે આયશે જઈ હિંસક પશુ ઈ દસ રાજાઓની હારે જે એની હારે છે, ઈ વેશ્યાને ધિક્કારશે જે એની ઉપર બેઠી છે, તેઓ એની ઉપર હુંમલો કરશે અને એનો નાશ કરશે, અને એને આખીય બાળી નાખશે.
છઠ્ઠા સ્વર્ગદુતે પ્યાલાની વસ્તુ બોવ જ મોટી નદી યુફ્રેટિસ ઉપર રેડી દીધી, આ કારણે ઈ નદીનું પાણી હુકાય ગયુ, જેથી ઉગમણી દિશાનો રાજા પોતાની સેનાને લયને ઈ નદીને પાર કરી હકે.
તેઓ હાત રાજા છે અને એનામાંથી પાસ તો પેલા જ મરી ગયા છે અને એનામાંથી એક અત્યારે રાજા છે અને છેલ્લો હજી નથી આવ્યો, પણ જઈ ઈ આયશે તો ઈ ખાલી થોડાક વખત હાટુ રાજ કરશે.
તેઓએ પોતાનુ દુખ બતાવવા હાટુ પોતાના માથા ઉપર ધૂળ નાખી અને રોતા અને હોગ કરતાં રાડ નાખીને કેહે કે, “હાય! હાય! મોટા નગર, જેના વહાણોના બધાય માલીક ઈ શહેરની મિલકતને લીધે ધનવાન થય ગયા, અને હવે ખાલી એક કલાકમાં જ આ બધુય અલોપ થય જાહે.”
એની લીધે એની ઉપર અસાનક મુશ્કેલીઓ આવી પડશે. ખાલી એક જ દિવસમાં બીમારી, હોગ અને દુકાળ એની ઉપર એક હારે આવી જાહે. અને એને આગમાં બાળી નાખવામાં આયશે કેમ કે, પરભુ પરમેશ્વર શક્તિશાળી છે અને ઈ એને દંડ દેહે.
આવો અને રાજાઓ, સિપાય આગેવાનો, શુરવીર સિપાયો, ઘોડા અને એની ઉપર બેહનારાના મરેલા દેહના માસ ખાવ, તમે હરેક પરકારના મરેલા લોકોનુ માસ ખાય હકો છો. એટલે કે, ગુલામ અને જે ગુલામ નથી, મોટા અને નાના બેયનો.