13 એની પછી મે ત્રણ મેલી આત્માઓને જોય; જે જોવામાં દેડકા જેવી હતી. એક અજગરના મોઢાથી બાર આવ્યો, એક પેલા હિંસક પશુના મોઢાથી અને એક બીજા પશુના મોઢાથી બાર આવ્યો, એટલે કે, ઈ જે ખોટા આગમભાખીયા હતા.
આ મેલી આત્માઓની પાહે સમત્કાર કરવાની તાકાત હતી અને તેઓએ જયને ઈ લોકોને ભેગા કરયા જે આ જગતના બધાય દેશોમાં રાજ કરતાં હતાં જેથી તેઓ સર્વશક્તિશાળી પરભુ પરમેશ્વરનાં મહાન દિવસે એની વિરુધ યુદ્ધ કરવા હાટુ જાય.
એણે હાંક મારીને કીધું હવે હારી ગયુ છે પ્રખ્યાત બાબિલોન શહેર હવે હારી ગયુ છે. આજે દરેક પરકારની મેલી આત્માઓ ન્યા રેવા હાટુ વય જાહે અને ઈ અશુદ્ધ અને ધિક્કારેલ પક્ષીઓના માળાઓ બનાવવાની જગ્યા હશે.
અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.
પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.