1 એની પછી, મે કાક બીજુ જોયું, મે સિયોન ડુંઘરાની ટોસ ઉપર ઘેટાના બસ્સાને ઉભેલો જોયો, એની હારે એના 1,44000 લોકો હતાં, એના માથા ઉપર ઘેટાના બસ્સાનુ નામ અને એના બાપનું નામ લખેલુ હતું.
જેમ શાસ્ત્રમા લખેલુ છે, જોવ હું સિયોનમાં એક એવો પાણો મુકુ છું જે લોકોને ઠેય ખવડાવીને પડવાનું કારણ બને છે, અને એવી ભેખડ જે લોકોને પાડશે અને જે એની ઉપર વિશ્વાસ કરશે, ઈ શરમાહે નય.
પછી મે એક ધોળો વાદળ જોયો, અને મે કોકને જોયો જે એક માણસના દીકરા જેવો હતો. જે ઈ વાદળ ઉપર બેઠોતો એના માથા ઉપર હોનાનો મુગટ હતો અને હાથમાં એક તેજ ધારદાર દાતેડુ હતું.
ઈ જે વિજય પામે છે, તેઓ પરમેશ્વરનાં મંદિરમા સ્તંભની જેમ હશે, જેની હું સેવા કરું છું અને હું તને કોય દિ છોડય નય, અને હું એના દેહ ઉપર મારા પરમેશ્વરનું નામ લખય અને પરમેશ્વરનાં શહેરનું નામ લખય, આ ઈજ છે જેને નવું યરુશાલેમ શહેર કેવા આવે છે જે સ્વર્ગથી છે, એટલે કે, મારા પરમેશ્વર તરફથી જે નીસે આયશે.
મારી આ બધીય વાતોને જોયા પછી, મે યોહાને સ્વર્ગમા એક ખોલેલો કમાડ જોયો, પછી મે ઈજ પેલો અવાજ બીજીવાર હાંભળ્યો જો કે એક રણશિંગડાના અવાજ જેવો હતો. એણે મને કીધું, “મારી પાહે આયા ઉપર આવ, અને હું ઈ વાતો તને બતાવય, જેને આ વાતો પુરી થાવી જરૂરી છે.”
તઈ મે એક આછા પડેલા દરેક રંગના ઘોડા જોયા, અને એની ઉપર બેઠેલાનું નામ મોત હતું, અને અધોલોકની જગ્યાએ એની વાહે-વાહે હાલતો આવતો હતો, અને એને આ અધિકાર મળ્યો હતો કે, પૃથ્વી ઉપર રેનારા સોથા ભાગના લોકોને મારી નાખે, તેઓએ એને તલવારથી, ભુખથી, ભુંડી બીમારીઓથી અને પૃથ્વીના જંગલી જનાવરોથી મરાવી નાખ્યા.