Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 13:16 - કોલી નવો કરાર

16 બીજા હિંસક પશુએ મામુલી અને વિશેષ, ગરીબ અને રૂપીયાવાળા અને ગુલામ અને જે ગુલામ નોતા એટલે કે, બધાય લોકોને મજબુર કરયા કે તેઓ પેલા પશુનુ નામ પોતાના જમણા હાથ ઉપર કા પોતાના માથા ઉપર છપાવે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 13:16
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ પરમેશ્વરનાં સામર્થ્યથી હું આજ હુધી ટકી રયો છું, અને નાના મોટા સાક્ષી દવ છું, આગમભાખીયા અને મુસા જે-જે બનાવો બનવાની વિષે બોલ્યા હતા એની સિવાય હું બીજુ કાય કેતો નથી.


જો આપણે યહુદી હોય કા બિનયહુદી હોય કે દાસ હોય કે આઝાદ હોય, આપડે બધાય એક જ આત્માથી જળદીક્ષા પામીને એક જ દેહ બની ગયા છે. અને આપણે બધાયે ઈ જ આત્મા પામી છે. જેવી રીતેથી આપડે એક જ વાટકામાંથી પીયી છયી.


મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.


હવેથી આગળ કોય પણ મને વધારે તકલીફ નો દેય, કેમ કે, મારા દેહ ઉપર જે દાગ છે, તેઓ દેખાડે છે કે, હું ઈસુનો સેવક છું


કેમ કે, તમે જાણો છો કે, જે કોય આવું હારું કામ કરશે, પછી ભલે ચાકર હોય કે, આઝાદ માણસ, તો એનું ઈનામ ઈ પરભુ પાહેથી મેળવશે.


ઈ કારણે તેઓમાં એક પણ નથી, નય કોય યહુદી, નય કોય બિનયહુદી, નય કોય સુન્‍નતી, નય કોય બેસુન્‍નતી, નય કોય વિદેશી, નય કોય સ્વદેશી, નય કોય ગુલામ અને નય કોય સ્વતંત્ર, ઈ બધાયની વસે કોય ભેદભાવ નથી, મસીહ દરેકમાં સમાન રીતે રેય છે.


અને જેમ જાન્‍નેસ અને જામ્બ્રેસે મુસાનો વિરોધ કરયો હતો, એમ જ આ ખોટા શિક્ષકો હાસા સંદેશાનો વિરોધ કરે છે, આ આવા માણસ છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ થય ગય છે અને તેઓનો વિશ્વાસ દેખાડો કરે છે.


ઈ લોકો જે તારી ઉપર વિશ્વાસ નથી કરતાં બોવજ ગુસ્સે છે, કેમ કે, હવે ઈ વખત આવી ગયો છે કે તારો ગુસ્સો એના ઉપર આવે, અને ઈ વખત કે, તુ મરેલાનો ન્યાય કર. હવે ઈ વખત પણ છે જઈ તુ ઈ આગમભાખીયાઓને વળતર દેય જે તારી સેવા કરે છે અને ઈ બધાય લોકોને જે તને માન આપે છે, ઈ જે નબળા છે અને જે શક્તિશાળી છે જઈ કે ઈ જ વખતે તુ એને નાશ કરી દેય જેણે પૃથ્વી ઉપર વિનાશ કરયો છે.”


તઈ મે કાક જોયું જે દરિયાની જેવું દેખાતું હતું અને કાસની જેમ સમકતું હતું અને એમા આગ હોતન ભળેલી હતી, મે ઈ લોકોને પણ જોયા જે હિંસક પશુથી હારા નય, તેઓએ પશુની અને એની મૂર્તિનું ભજન નોતું કરયુ, અને એની ઉપર હિંસક પશુના નામની સંખ્યાની નીશાની નોતી લગાડી, ન્યા ઈ દરિયાની પાહે ઉભો હતો અને ઈ બધાએ એક વીણા પકડી હતી જે પરમેશ્વરે તેઓને આપી હતી.


આવો અને રાજાઓ, સિપાય આગેવાનો, શુરવીર સિપાયો, ઘોડા અને એની ઉપર બેહનારાના મરેલા દેહના માસ ખાવ, તમે હરેક પરકારના મરેલા લોકોનુ માસ ખાય હકો છો. એટલે કે, ગુલામ અને જે ગુલામ નથી, મોટા અને નાના બેયનો.


અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.


અને પછી મે કોયને બોલતા હાંભળો અને એવુ લાગ્યું; જેમ ઈ અવાજ પરમેશ્વરની રાજગાદીમાંથી આવ્યો હોય, એણે કીધું કે, “હે મારા પરમેશ્વરનાં ચાકરો અને તમે જે એને માન આપો છો, ભલે નાના દરજાના હોવ કે મોટા દરજાના હોવ, પરમેશ્વરની સ્તુતિ કરો.”


અને મે મરેલા લોકોને ઈ રાજગાદી હામે ઉભેલા જોયા એટલે ઈ જે મહત્વના છે અને મહત્વ વગરના છે ઈ લોકો જે દરિયામાં ડૂબીને મરયા હતાં અને કબરોના બધાય મરેલા લોકો, અને ઈ બધાય લોકો અધોલોક જગ્યાએ હતાં ઈ બધાય ઈ રાજગાદી હામે ઉભા હતાં, ઈ સોપડી ખોલવામાં આવી જેમાં ઈ લોકોના નામ લખેલા હતાં, જેની પાહે ઈ જીવન હતું જેનો કોય અંત નથી. ઈ સોપડી પણ ખોલવામાં આવી જેમાં લોકોએ જે કાય કરયુ હતું ઈ લખવામાં આવ્યું હતું અને દરેકે જે કાય કરયુ હતું ઈ પરમાણે એનો ન્યાય કરવામા આવ્યો, જે ઈ સોપડીમા લખવામાં આવ્યું હતું.


એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.


પરિણામ દ્વારા, પૃથ્વીના બધાય લોકો, જેમા રાજા, પ્રધાનો, સરદારો, માલદારો, શૂરવીરો, દરેક ગુલામ અને જે ગુલામ નથી એવા લોકો ડુંઘરાઓની ગુફાઓ અને ખડકોની વસે જયને હતાણા,


“જ્યાં હુધી આપડા પોતાના પરમેશ્વરનાં ચાકરોના માથા ઉપર મુદ્રાઓ લગાડી નો દેયી, ન્યા હુધી પૃથ્વી અને દરીયા અને ઝાડવાનો નાશ કરવો નય.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ