Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 13:14 - કોલી નવો કરાર

14 એણે આ સમત્કાર પેલા હિંસક પશુ તરફથી કરયા. આવુ કરવાથી એણે પૃથ્વીના લોકોને દગો દીધો, તો તેઓએ વિસારુ કે આપડે પેલા હિંસક પશુનુ ભજન કરવુ જોયી. પણ આવુ ઈ હાટુ થયુ કેમ કે, પરમેશ્વરે આવુ થાવા દીધુ. બીજા હિંસક પશુએ પૃથ્વી ઉપર રેનારા લોકોને પેલા હિંસક પશુની આગેવાની કરવા હાટુ એક મૂર્તિ બનાવવાનુ કીધુ, ઈ જે જીવતો હતો, જો કે કોયે એને એક તલવારથી મારી નાખ્યો હતો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 13:14
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

માણસો જેનું ભજન કરે છે અને જેને પરભુ માંને છે ઈ બધાયનો ઈ પાપી માણસ નકાર કરશે. ઈ બધાય કરતાં પોતાને મોટો મનાવશે, અને પરમેશ્વરની વિરુધ મંદિરમાં જયને એની જગ્યાએ બેહીને પરમેશ્વર હોવાનો દાવો કરશે.


તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.


મે એક હિંસક પશુને દરીયામાંથી નીકળતા જોયો, જેને દસ શીંગડા અને હાત માથા હતાં, અને એના હાતેય માથા ઉપર હાત રાજમુગટ હતાં, અને દરેક માથા ઉપર પરમેશ્વરની વિરુધ નિંદા કરનારું એક નામ લખેલુ હતું.


પરમેશ્વરે બીજા હિંસક પશુને ઈ મૂર્તિમા જીવ મુકવાની રજા આપી. જેથી મૂર્તિ બોલી હકે અને એણે આજ્ઞા દીધી કે, જેણે પણ મૂર્તિનુ ભજન કરવાની ના પાડી છે એને મારી નાખવામા આવે.


પૃથ્વી ઉપર રેનારા બધાય લોકો હિંસક પશુનુ ભજન કરવા લાગ્યા, ખાલી ઈ જ લોકોએ એની પૂજા નથી કરી જેઓનુ નામ જગતની રસના કરયા પેલા જ જીવનની સોપડીમા લખવામા આવ્યું હતુ, આ જીવનની સોપડી ઈ ઘેટાના બસ્સાની સોપડી છે જેને બલિદાનરૂપે મારી નાખવામા આવ્યો હતો.


એને પીડાદેનારી આગનો ધુવાડો સદાય હાટુ ઉપરની બાજુએ ઉઠશે. પરમેશ્વર એને સતત રાત-દિ પીડા દેહે. આ ઈ લોકોની હારે થાહે જે પેલા હિંસક પશુ અને એની મૂર્તિનું ભજન કરે છે કા જે એના નામને એની ઉપર લખવાની છૂટ આપે છે.


એના પછી ત્રીજા સ્વર્ગદુતે રાડ નાખીને કીધું કે, જે કોય ઈ હિંસક પશુની મૂર્તિનું ભજન કરે અને એની છાપ પોતાના કપાળ કે પોતાના હાથ ઉપર લગાડે,


તઈ મે કાક જોયું જે દરિયાની જેવું દેખાતું હતું અને કાસની જેમ સમકતું હતું અને એમા આગ હોતન ભળેલી હતી, મે ઈ લોકોને પણ જોયા જે હિંસક પશુથી હારા નય, તેઓએ પશુની અને એની મૂર્તિનું ભજન નોતું કરયુ, અને એની ઉપર હિંસક પશુના નામની સંખ્યાની નીશાની નોતી લગાડી, ન્યા ઈ દરિયાની પાહે ઉભો હતો અને ઈ બધાએ એક વીણા પકડી હતી જે પરમેશ્વરે તેઓને આપી હતી.


એની પછી મે ત્રણ મેલી આત્માઓને જોય; જે જોવામાં દેડકા જેવી હતી. એક અજગરના મોઢાથી બાર આવ્યો, એક પેલા હિંસક પશુના મોઢાથી અને એક બીજા પશુના મોઢાથી બાર આવ્યો, એટલે કે, ઈ જે ખોટા આગમભાખીયા હતા.


ઈ હાટુ પેલા સ્વર્ગદુતે જયને પ્યાલાની વસ્તુને પૃથ્વી ઉપર રેડી દીધી. લોકો ઉપર ભયાનક અને દુઃખદાયક ઘાવ દેખાણા જેની ઉપર હિંસક પશુએ પોતાની છાપ લગાડી હતી, અને એની ઉપર જેઓએ એની મૂર્તિનું ભજન કરયુ હતું.


ન્યા ફરીથી કોય દીવો નય હળગે. ફરીથી કોય દિવસ વર અને એની કન્યાની ખુશીનો અવાજ નય આવે. પરમેશ્વર તમારા શહેરનો નાશ કરી નાખશે કેમ કે, તામારાં વેપારી જગતમાં બધાયથી મહાન માણસો હતા. તમે બધાય મંડળીના લોકોને દગો દેવા હાટુ મેલી વિદ્યાનો ઉપયોગ કરયો.


અને ઈ હિંસક પશુને અને એની હારે ખોટા આગમભાખીયા પકડાય ગયા, આ ખોટા આગમભાખીયાઓએ પેલા પશુની તરફથી સમત્કારી નિશાની દેખાડી હતી, જેના દ્વારા એણે એને ભરમાવા, જેની ઉપર ઈ હિંસક પશુની છાપ હતી અને જે એની મૂર્તિનું ભજન કરતાં હતાં, આ બેયને જીવતે-જીવતા ઈ આગના તળાવમા જે ગંધકથી હળગે છે એમા નાખી દીધા.


ઈ દુખોથી બીમાં જે તને મળશે. શેતાન તમારામાથી થોડાકને જેલખાનામાં નાખવાનો છે, જેથી તેઓ તમારી પરીક્ષા કરી હકે. તમે દસ દિવસ હાટુ મોટી મુસીબતોનો અનુભવ કરશો. પણ મારી ઉપર વિશ્વાસ કરવાનું કોયદી છોડતા નય, ભલે તમને મારી નાખવામાં આવે કેમ કે, હું તમને તમારી જીતના ઈનામની જેમ અનંતજીવન આપય.


પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.


કેમ કે, તે ધીરજથી સહન કરવાની મારી આજ્ઞાનું પાલન કરયુ છે, હું તને આખા જગતમાં આવનારા પરીક્ષણના વખતથી પણ આઘો રાખય, જે પૃથ્વી ઉપર રેનારાનુ પરીક્ષણ કરશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ