21 ઈસુએ છોકરાના બાપને પુછયું કે, “આ બધુય ક્યારથી થાય છે.” એણે કીધુ કે, “નાનપણથી જ એની ઉપર આ રીતનો હુમલો થાય છે.
ન્યા ગડદીમાં એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી.
ઈ હાટુ તેઓ છોકરાને ઈસુની પાહે લાવ્યા અને જઈ મેલી આત્માએ ઈસુને જોયો તો ઈ આત્માએ ઈ છોકરાને મયડો, અને ઈ જમીન ઉપર પડયો, અને મોઢામાંથી ફીણ કાઢીને તડફડયો.
ઘણીવાર મેલી આત્માએ એને આગ અને પાણીમાં ફેકીને મારવાની કોશિશ કરી છે, પણ જો તુ કાય કરી હકે, તો અમારી ઉપર દયા કરીને અમારી ભલાય કર.”
આ પાકું હતું કે, આ બાય જે ઈબ્રાહિમની પેઢીની છે, જેને શેતાને અઢાર વરહથી બાંધીને રાખી હતી, વિશ્રામવારના દિવસે બંધનમાંથી છૂટી કરાવી એમા કાય ખોટુ નથી.”
ન્યા એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. એણે એની બધીય પુંજી વૈદોની પાછળ ખરસી નાખી હતી પણ કોય એને હાજી કરી હક્યુ નોતુ.
પછી જઈ ઈસુ પોતાના ચેલાઓની હારે જાતો હતો, તઈ એક માણસને જોયો, જે જનમથી જ આંધળો હતો.
લુસ્ત્રા શહેરમાં એક લંગડો માણસ બેઠેતો, ઈ હાલી હક્તો નોતો કેમ કે, ઈ જનમથી જ લંગડો હતો.
અને લોકો જનમથી એક લંગડા માણસને લય જાતા હતાં, જેને ઈ દરોજ મંદિરનો સુંદર નામનો દરવાજો કેવાતો હતો, ન્યાં બેહાડી દેતા હતાં કે ઈ મંદિરમાં જાનારા લોકોની પાહે ભીખ માંગે.
કેમ કે, જે માણસ સમત્કારથી હાજો થયો હતો, એની ઉમર સ્યાલીસ વરહ કરતાં વધારે હતી.
ન્યા એને લકવાથી માંદો એનીયસ નામનો એક માણસ મળો, જે આઠ વરહથી ખાટલામાં પડયો હતો.