Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 8:34 - કોલી નવો કરાર

34 એણે ટોળાને પોતાના ચેલાઓ સહીત પાહે બોલાવીને તેઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 8:34
43 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને જે મારો ચેલો બનવા પોતાનું વધસ્થંભ ઉસકીને દુખ સહન કરવા અને મરવા હાટુ તૈયાર નો રેય, ઈ મારો ચેલો બનાવને લાયક નથી.


પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”


જઈ તેઓ શહેરથી બારે જાતા હતાં, તો કુરેન ગામનો સિમોન નામનો એક માણસ તેઓને મળ્યો, એની પાહે પરાણે તેઓએ ઈસુનો વધસ્થંભ ઉપડાવો.


ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.”


વળી ઈસુએ લોકોને પોતાની પાહે બોલાવીને તેઓને કીધુ કે, “તમે બધાય મારું હાંભળો અને હંમજો.


હાકડે કમાડથીજ અંદર ઘરો કેમ કે, પરમેશ્વરનાં રાજ્યમાં ઘરવું ખુબજ મુશ્કેલ છે, ઈ હાટુ હું તમને કવ છું કે, ઘણાય માણસો અંદર ઘરવાની કોશિશ કરશે, પણ તેઓ અંદર ઘરી હકશે નય.


તેવીજ રીતે તમારામાંથી જો કોય પોતાની બધીય વસ્તુનો ત્યાગ કરી દેય, તો ઈ મારો ચેલો થય હકે છે.


ઈસુએ આ હાંભળીને એને કીધુ કે, “હજી તારે એક વધારે કામ કરવાની જરૂર છે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે, અને મારો ચેલો બનીજા.”


જઈ બધાય માણસો ઈસુને ધ્યાનથી હાંભળતા હતાં, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે,


એણે બધાયને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”


મારા ઘેટા મારો હાદ હાંભળે છે, અને હું તેઓને ઓળખું છું, અને તેઓ મારા ચેલાઓ બને.


ઈસુ પોતાનો વધસ્થંભ ઉપાડીને બારે નીકળો અને “ઈ ખોપડી નામની જગ્યા ઉપર ગયો” હિબ્રૂ ભાષામાં ઈ જગ્યાને “ગલગથા” કેવાય છે


અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”


આપડે જાણી છયી કે, આપડો જુનો પાપીલો સ્વભાવ મસીહ ઈસુની હારે વધસ્થંભ ઉપર સડાવામાં આવ્યું, જેથી આપડા દેહમાં પાપીલો સ્વભાવ નાશ થય જાય, અને આપડે આગળ પાપની ગુલામીમાં નો રેયી.


અને જો બાળકો છયી, તો વારસ પણ પરમેશ્વરનાં વારસ અને મસીહના સાથી વારસ છયી, જો આપડે ઈસુની જેમ દુખ સહન કરી તો આપડે એની મહિમામાં પણ ભાગીદાર થાહું.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું દરોજ મોતને ભેટું છું, હું જે કવ છું ઈ ખરેખર હાસુ છે જેમ કે, ઈ પણ હાસુ છે કે, હું ખરેખર રાજી છું કેમ કે, તમે અમારા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો છો.


આથી જો મારા નીવેદ ખાવાની બાબત મારા ભાઈની પાહે પાપ કરાવે, તો મારા ભાઈનો નાશ થાય ઈ હાટુ હું કોયદી નીવેદ ખાય નય.


એનો અરથ આ છે કે, હું લોકોની આજ્ઞા પાલન કરવા હાટુ બધાયેલો નથી ખાલી એટલા હાટુ કે, તેઓ મને સુકવણી કરે છે, તો પણ હું કોય પણ નો ચાકર બની ગયો છું જેથી હું વધારેમાં વધારે લોકોને મસીહ ઉપર વિશ્વાસ કરવા હાટુ લાવી હકુ.


ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો.


જઈ લોકો ઈસુ મસીહ હારે સબંધ રાખે છે તો ઈ પોતાના દેહિક પાપીલા સ્વભાવ દ્વારા હાલતા નથી. ઈ એવા છે જેમ તેઓનો સ્વભાવ જાણે વધસ્થંભ ઉપર સડાવી દીધો હોય.


હું પોતે તો ખાલી પરભુ ઈસુ મસીહના વધસ્થંભ વિષે જ અભિમાન કરું છું કારણ કે, ઈસુના વધસ્થંભને લીધે જગત મારી હાટુ મરી ગયુ છે અને હું જગત હાટુ મરી ગયો છું


હું જાણવા માગું છું અને મસીહનું મરેલામાંથી જીવતા ઉઠવું, એમ પાછા જીવી ઉઠવાના સામર્થ્યને અનુભવ કરવા ઈચ્છું છું હું એની હાટુ દુખ સહન કરવા દ્વારા એની હારે સંગત કરવા માગું છું જેમ એણે મારી હાટુ દુખ સહન કરયુ. હું એના મરણને અનુરૂપ થાવા માગું છું;


પણ જે જે વાતુંને હું મારો લાભ હમજતો હતો, એને મે મસીહના કારણે નુકશાન હમજી લીધું છે.


હવે હું તમારી હાટુ જે દુખ ઉઠાઉ છું, એના કારણથી રાજી છું અને હું એક ધારો પોતાના દેહમાં દુખો સહન કરું છું જેમ મસીહે એના દેહની હાટુ કા મંડળી હાટુ સહન કરયુ.


ઈ હાટુ ખરાબ કામોને બંધ કરી દયો જે તમારા પાપી સ્વભાવ હારે જોડાયેલા છે, જેમ કે, સોરી છીનાળવા, મેલા કામો, ભુંડી ઈચ્છાઓ, ખરાબ લાલસ અને લોભ જે મૂર્તિપૂજાની જેમ છે.


કેમ કે, અમે હાંભળ્યું છે કે, તમારામાથી કેટલાક લોકો આળસુ જીવન જીવે છે, અને પોતે તો કોય કામ નથી કરતાં પણ તેઓ વારંવાર બીજા લોકોના કામમા માથું મારે છે.


પોતાની કૃપાથી પરમેશ્વર આપણને શિખવે છે કે, આપડે એવું વરતન કરવાનું બંધ કરવુ, જે એને ગમતું નથી, અને ઈ વસ્તુઓની લાલસ કરવાનું બંધ કરો; જેની ઈચ્છા અવિશ્વાસીઓ રાખે છે. જઈ આપડે આ જગતમાં છયી, તો બધીય વાતોમાં ધીરજ રાખીને અને હાસાયથી પરમેશ્વરની ભક્તિમાં જીવન જીવી.


ઈ હાટુ આપડે પણ એને ભેટ કરવા માંડવાની બારે જયને એવી જ નિંદા સહન કરી, જેમ એણે સહન કરયુ.


ઈ હાટુ જઈ મસીહે પોતાના દેહમાં રેતી વખતે દુખ સહન કરયુ, ઈ હાટુ તમારે પણ એવી જ રીતે દુખ સહન કરવા તૈયાર રેવું જોયી, જે એનામા હતું, કેમ કે, જો તમે મસીહ હાટુ દુખ સહન કરવા તૈયાર છો, તો તમે પાપ નય કરવાનું નક્કી કરી લીધું છે.


એની બદલે, રાજી થાવ કે, તમને હોતન એવી વસ્તુઓથી પીડા છે, જે મસીહે સહન કરયા. જઈ તમે પીડા ભોગવો છો તઈ હરખાવ, જેથી તમે બોવજ રાજી થાહો, જઈ મસીહ પાછો આયશે અને બધાયને દેખાડશે કે, ઈ કેટલો મહિમાવાન છે.


કેમ કે હું જાણું છું કે હું જલ્દી મરી જાવાનો છું કેમ કે આપડા પરભુ ઈસુ મસીહે મને સોખી રીતે દેખાડયું છે.


આપડે એનાથી પ્રેમ વિષે જાણી કે, ઈસુ મસીહે આપડા લીધે પોતાનો પ્રાણ આપી દીધો, એટલે આપડે પણ આપડા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હાટુ પ્રાણ દેવો જોયી.


ઈ દુખોથી બીમાં જે તને મળશે. શેતાન તમારામાથી થોડાકને જેલખાનામાં નાખવાનો છે, જેથી તેઓ તમારી પરીક્ષા કરી હકે. તમે દસ દિવસ હાટુ મોટી મુસીબતોનો અનુભવ કરશો. પણ મારી ઉપર વિશ્વાસ કરવાનું કોયદી છોડતા નય, ભલે તમને મારી નાખવામાં આવે કેમ કે, હું તમને તમારી જીતના ઈનામની જેમ અનંતજીવન આપય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ