55 ઈ હાટુ તેઓ સ્યારેય કોર આજુ-બાજુની જગ્યાએ ગયા, અને માંદાઓને જોળીઓમાં નાખીને તેઓ માંદાઓને ઉપાડીને ઈ જગ્યા ઉપર લય ગયા, જ્યાં તેઓએ લોકોને ઈ કેતા હાંભળ્યું કે, ઈસુ ન્યા ગયો હતો.
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
પ્રેરીતોના કામોના પરિણામે લોકો માંદાઓને મારગ ઉપર લયને, ખાટલા અને પથારીમાં હુવડાવી દેતા હતાં, જઈ પિતર આવે, તઈ એનો પડછાયો જ એનામાંથી કોયની ઉપર પડી જાય તો ઈ હાજો થય જાતો હતો.