34 જઈ ઈસુએ હોડીમાંથી ઉતરીને ઘણાય બધા લોકોને જોયા તઈ તેઓની ઉપર એને દયા આવી કેમ કે, તેઓ સરાવવાવાળો નો હોય એવા ઘેટાની જેવા હતાં જે તેઓની હંભાળ રાખી હકે, અને ઈ તેઓને ઘણીય બધી વાતો શીખવાડવા લાગ્યો.
ઈસુએ ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે, “આ લોકો ઉપર મને દયા આવે છે; કેમ કે, તેઓ આજે ત્રણ દિવસ થયાં ઈ લોકો મારી હારે છે, અને હવે તેઓની પાહે કાય ખાવાનું નથી, અને આ લોકોને ભૂખા વિદાય કરવાને હું નથી માંગતો, નય તો મારગમાં થાકીને બેભાન થય જાહે.”
પણ બોવ બધાય લોકોએ તેઓને જાતા જોયા અને જાણી ગયા કે, તેઓ ક્યા જઈ રયા હતા. ઈ હાટુ તેઓ આજુ બાજુના બધાય નગરની જમીનનાં મારગેથી ધોડીને તેઓની પેલા ન્યા પુગી ગયા.
થોડાક દિવસો પછી મોટુ ટોળું ઈસુ પાહે પરમેશ્વરનાં રાજ્ય વિષે હાંભળવા હાટુ ભેગુ થયુ, અને તેઓની પાહે કાય ખાવાનું હતું નય, તો એણે પોતાના ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે,
ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.