Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 5:7 - કોલી નવો કરાર

7-8 ઈસુએ એને કીધુ છે કે, “મેલી આત્મા, આ માણસમાંથી બારે નીકળી જા!” તઈ એણે મોટી રાડ પાડીને કીધુ કે, “ઈસુ સર્વશક્તિશાળી પરમેશ્વરનાં દીકરા, તારે મારી હારે શું કામ છે? પરમેશ્વરનાં નામનો વાયદો કર કે, તુ મને દુખ આપય નય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 5:7
29 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ સિમોન પિતરે જવાબ આપતા કીધુ કે, “તમે મસીહ, જીવતા પરમેશ્વરનાં દીકરા છો.”


પણ ઈસુ મૂંગો રયો, તઈ પ્રમુખ યાજકે એને ફરી કીધુ કે, “હું એને જીવતા પરમેશ્વરનાં હમ દવ છું કે, પરમેશ્વરનો દીકરો જે મસીહ છે, ઈ તુ જ છે કે નય? ઈ અમને કય દે.”


તઈ શેતાને એની પાહે આવીને કીધુ કે, “જો તુ પરમેશ્વરનો દીકરો હોય તો, હુકમ કર કે, આ પાણો રોટલી થય જાય.”


જુઓ, એણે રાડો પાડીને કીધુ કે, “ઓ પરમેશ્વરનાં દીકરા, તારે મારી હારે શું કામ છે? વખત પેલા તું અમને દુખ દેવા આયા આવ્યો છો?”


“એણે રાડો પાડીને કીધુ કે, અરે નાઝરેથ નગરવાસી ઈસુ, તુ અમને હેરાન કરતો નય, તુ અમારો નાશ કરતો નય, અને ઈ હું જાણું છું કે, તુ કોણ છે? તુ એક ખાલી પવિત્ર છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે.”


પણ ઈ મૂંગો રયો, અને કાય જવાબ નો દીધો. પણ પ્રમુખ યાજકે એને પાછુ પુછયું કે, “શું તુ મહિમાવાન પરમેશ્વરનો દીકરો મસીહ છે?”


અને મેલી આત્માઓએ જેઓ ઉપર વળગેલી હતી ઈ લોકોને મજબુર કરયા કે, તેઓ ઈસુની હામે પગે પડીને જોરથી રાડું પાડીને કેય કે, “તુ પરમેશ્વરનો દીકરો છો.”


ઈ ઈસુને આઘેથી જોયને ધોડયો, અને ગુઠણીયા વાળીને પગે પડીને ભજન અને પરણામ કરયા.


ઈ મહાન થાહે, અને પરમપ્રધાનનો દીકરો કેવાહે, અને પરભુ પરમેશ્વર તને એના બાપદાદા દાઉદનું રાજ્ય આપશે.


“અરે, નાઝરેથ નગરવાસી ઈસુ તારે ને મારે શું છે? અમને હેરાન કરવાનો તને શું અધિકાર છે? તુ કોણ છો ઈ હું જાણું છું, એટલે તુ પરમેશ્વરનો પવિત્ર માણસ છે.”


પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.


એણે ઈસુને જોયને રાડો પાડી અને પગમાં પડીને કીધુ કે, “પરાક્રમી પરમેશ્વરનાં દીકરા, ઈસુ! તારે મારી હારે શું કામ છે? હું તને વિનવણી કરું છું કે, તુ મને દુખ દેતો નય.”


પણ આ ઈ હાટુ લખેલુ છે કે, જેથી તમે વિશ્વાસ કરો કે, ઈસુ મસીહ જ પરમેશ્વરનો દીકરો છે અને એની ઉપર વિશ્વાસ કરીને એના નામથી તમને જીવન મળે.


ઈ પાઉલની અને આપડી વાહે આવીને રાડુ નાખવા મંડી કે, “આ માણસ પરમપ્રધાન પરમેશ્વરનો સેવક છે, જે તમને તારણનો મારગ બતાયશે.”


પણ થોડાક યહુદી જે ભુવા હતાં ગામોગામ ફરતા હતાં, એવુ કરવા મંડા કે જેમાં મેલી આત્મા છે, ઈ લોકોમાંથી ઈસુના નામમાં, આ કયને મેલી આત્માને કાઢવાની કોશિશ કરવા મંડા, “હું પરભુ ઈસુના નામમાં, જેનો પરચાર પાઉલ કરે છે, તમને બારે આવવાની આજ્ઞા આપું છું”


એને મારગમાં હાલતા-હાલતા એક તળાવ મળુ, તઈ ખોજાએ ફિલિપને કીધું કે, “જો, આ તળાવ પણ છે, તો મને જળદીક્ષા લેવામાં શું વાંધો છે?”


શાંતિનો પરમેશ્વર જલ્દીથી શેતાનની તાકાતને નાશ કરીને એને તમારી આધીન કરી દેહે. આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી ઉપર થાતી રેય.


કેમ કે, માણસ પરમેશ્વરનો દીકરો છે, જે માસ અને લોહીથી બનેલો છે, ઈ હોતન ઈ જ રીતે તેઓના ભાગીદાર થાય, જેથી ઈ પોતે મરીને મોત ઉપર રાજ કરનારનો, એટલે શેતાનનો નાશ કરે.


આયા મેલ્ખીસેદેક શાલેમ શહેરનો રાજા અને બધાયથી વધારે પરમેશ્વરનો મુખ્ય યાજક હતો; જઈ ઈબ્રાહિમ રાજાઓને હરાવીને પાછો આવતો હતો તઈ એણે એને મળીને આશીર્વાદ આપ્યો.


તને વિશ્વાસ છે કે, એક જ પરમેશ્વર છે, તો તમે હારું કરો છો, અને મેલી આત્માઓ પણ આ વિશ્વાસ કરે છે, અને બીકથી ધ્રૂજવા મંડે છે.


પરમેશ્વરે પાપ કરનારા દુતોનો નાશ કરી નાખ્યો, જઈ તેઓએ પાપ કરયુ, તેઓને નીસે નરકમાં મોકલી દીધા, જ્યાં તેઓને અંધારામાં હાકળોથી બાંધીને રાખી દીધા જો કે, તેઓ ન્યાયના દિવસની રાહ જોવે છે. જઈ એને ઈ દંડ મળે. જેની લાયક ઈ છે.


જે કોય પાપ કરવાનું ચાલુ રાખે છે, ઈ શેતાન તરફથી છે કેમ કે, શેતાન પેલાથી જ પાપ કરતો આવ્યો છે. પરમેશ્વરનો દીકરો ઈ હાટુ આવ્યો કે, શેતાનના કામોનો નાશ કરે.


યાદ કરો કે, પરભુએ ઈ દુતોને કેવી રીતે સજા આપી, જેઓએ પોતાની જવાબદારીઓને નિભાવી નય અને પોતાના મળેલા સ્થાનોને છોડી દીધા. પરભુએ ઈ દુતોને અનંતકાળની અંધારી જગ્યામાં રાખ્યા છે અને એવી બેડીયુથી બાંધ્યા છે, જેને કોય તોડી હકતા નથી, જેથી મહાન દિવસે એનો ન્યાય થય હકે.


તમે બધાય જે સ્વર્ગમા રયો છો, તમારે રાજી થાવુ જોયી, પણ તમે જે પૃથ્વી ઉપર અને દરીયામા રયો છો, ભયાનક રીતેથી પીડાહો કેમ કે, શેતાન તમારી પાહે નીસે આવી ગયો છે અને ઈ બોવ જ ગુસ્સામા છે કેમ કે, ઈ જાણે છે કે એની પાહે કામ કરવાનો જાજો વખત નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ