તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
કેમ કે વારેઘડીએ એને બેડીયું અને હાકળોથી બાંધવામાં આવ્યો હતો, પણ એણે હાકળોને તોડી નાખી, અને બેડીયુના ટુકડે ટુકડા કરી નાખ્યા હતાં, અને કોય એને કાબુમાં કરી નોતા હકતા.