34 જઈ પણ એણે તેઓથી પરમેશ્વરનાં વિષે વાત કરી, તઈ એણે દાખલાઓ વાપરા પણ એકલામાં ઈ પોતાના ચેલાઓને બધી વાતોનો અરથ બતાવતો હતો.
ઈસુ લોકોને પરમેશ્વરનું વચન હંભળાવતો હતો ઈ હાટુ સદાય એણે દાખલાઓનો ઉપયોગ કરયો, અને દાખલા વગર ઈસુએ કાય કીધુ નય.
જઈ ઈસુ એકલો થય ગયો, તઈ બાર ચેલાઓ અને બીજા ઈ લોકો જે ન્યા ભેગા થયા હતાં તેઓએ દાખલાના અરથ વિષે પુછયું.
અને ઈસુ જઈ પણ તેઓની હારે વાતો કરતો હતો ઈ વખતે ઘણાય બધા દાખલાઓ દયને પરમેશ્વરનું વચન હંભળાવતો હતો.
પછી ઈસુએ આખા શાસ્ત્રમાંથી મુસાની સોપડીમાથી શરુઆત કરીને બધાય આગમભાખીયાઓના લખાણોમાં પોતાના વિષે જે જે કીધું છે ઈ તેઓને હમજાવુ.
ઈસુએ લોકોને ઈ દાખલો બતાવ્યો, પણ તેઓ હમજા નય કે, એનો કેવાનો શું અરથ હતું.
મે તમને આ બધીય વાતો દાખલા તરીકે કીધી છે, પણ એવો વખત આવે છે કે, હું તમને પાછા દાખલા તરીકે વાત નય કરું, પણ સોખી રીતે હું તમને બાપની વિષે બતાવય.
તઈ ઈ યહુદી લોકોએ પાઉલ હાટુ એક દિ ઠરાવ્યો, અને ઘણાય બધા લોકો એની ન્યા ભેગા થયા, અને ઈ પરમેશ્વરનાં રાજ્યની સાક્ષી દેતા, અને મુસાના નિયમ અને આગમભાખીયાઓની સોપાડીથી ઈસુના વિષયમાં હમજાવી હમજાવીને હવારથી હાંજ લગી બતાવતો રયો.