Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 4:11 - કોલી નવો કરાર

11 ઈસુએ તેઓને કીધુ કે, “તમને તો પરમેશ્વરનાં રાજ્યના ભેદની હમજ આપેલી છે, પણ જે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં એની હાટુ બધી વાતો દાખલાઓમાં કેવામાં આવી છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 4:11
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ વેળાએ ઈસુએ કીધું કે, “ઓ બાપ, આભ અને પૃથ્વીના પરભુ, હું તારી સ્તુતિ કરું છું કેમ કે, જ્ઞાની લોકો અને હમજણાઓથી ઈ વાતો છુપી રાખીને, બાળકોને પરગટ કરી છે.”


“પણ તમારી આખું આશીર્વાદિત છે કેમ કે, ઈ જોવે છે, અને તમારા કાન આશીર્વાદિત છે, કેમ કે, ઈ હાંભળે છે.


ઈસુએ એને જવાબ દીધો કે, “સિમોન યુનાનાં દીકરા, તુ આશીર્વાદિત છે: કેમ કે, કોય માણસે નય, પણ મારા બાપે જે સ્વર્ગમાં છે, એણે આ વાત તારી ઉપર પરગટ કરી છે.”


જેથી એણે તેઓને પાહે બોલાવીને દાખલાઓ આપતા કીધુ કે, “શું શેતાન પોતાની જ મેલી આત્માઓને લોકોમાંથી બારે જાવા દેહે?”


જઈ ઈસુ એકલો થય ગયો, તઈ બાર ચેલાઓ અને બીજા ઈ લોકો જે ન્યા ભેગા થયા હતાં તેઓએ દાખલાના અરથ વિષે પુછયું.


અને ઈ તેઓને દાખલાઓમાં ઘણીય બધી વાતો શિખવી, અને પોતાના શિક્ષણમાં એને કીધુ કે,


એણે કીધું કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ બીજાઓને દાખલામાં બતાવવામાં આવે છે; કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી.


કોયે પણ તમને બીજાની કરતાં વધારે મહત્વનું નથી આપ્યુ! તમને આપેલી દરેક વસ્તુઓ પરમેશ્વર દ્વારા આપેલી છે. તો તમને અભિમાન કરવાનો કોય અધિકાર નથી.


ઈ હાટુ પરમેશ્વરે કીધું કે, “અંધારામાંથી અજવાળુ સમકે,” અને અજવાળાની જેમ પરમેશ્વરે આપડા હૃદયમાં હમજણ આપી, જેથી આપણે તેઓની મહિમાને જોય હકી જે ઈસુ મસીહના મોઢા ઉપર દેખાય છે.


પરમેશ્વરે ઈ જ કરયુ જે એણે ખાનગી રાખ્યું હતું અને આપણને ઈ ખાનગી યોજનાની જાણ કરાવી જે એણે પેલાથી જ મસીહ દ્વારા પુરૂ કરવાનો નિર્ણય લીધો હતો.


અવિશ્વાસી હારે વાત કરવા હાટુ મળવાવાળા અવસરને હારી રીતે ઉપયોગ કરો, અને તેઓની હારે બુદ્ધિથી વહેવાર કરો.


જેથી અવિશ્વાસી લોકો તમારો વ્યવહાર જોયને તમને માન આપે, અને તમને પોતાની જરૂરિયાતો હાટુ કોયની ઉપર ભરોસો નો રાખવો પડે.


અને મંડળીને છોડીને બીજા લોકોમા પણ એનુ માન હોવું જોયી, જેથી લોકો એને ખરાબ કયને બદનામ કરી હકે નય અને નતો ઈ શેતાનની જાળ મા ફસાય.


અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ