Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 3:22 - કોલી નવો કરાર

22 અને યહુદી નિયમના શિક્ષકો, જેઓ યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, તેઓ એવું કેતા હતાં કે, “એનામા મેલી આત્માઓનો સરદાર બાલઝબૂલ એટલે કે, જે શેતાન છે, એની મદદથી ઈસુ મેલી આત્માઓને કાઢે છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 3:22
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ચેલો પોતાના ગુરુ જેવો અને ચાકર પોતાના માલિક જેવો બની જાય એટલું ઘણુંય છે; જો ઘરધણીને તેઓ બાલઝબુલ શેતાન કીધો છે, તો એના ઘરનાં લોકોને એનાથી કેટલું વધારે તેઓ એમ જ કેહે!


કેમ કે, યોહાન જળદીક્ષા આપનાર આવ્યો તઈ ઈ ઉપવાસ કરતો હતો અને દ્રાક્ષારસ પીતો નોતો અને તમે કીધુ કે, એને મેલી આત્મા વળગી છે.


પણ ફરોશી ટોળાના લોકોએ આ હાંભળીને કીધુ કે, “ઈ તો મેલી આત્માના સરદાર શેતાનની મદદ વગર મેલી આત્માઓને કાઢતો નથી.”


તઈ યરુશાલેમથી ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકો ઈસુની પાહે આવીને કેવા લાગીયા કે,


પણ ફરોશી ટોળાના લોકોએ કીધુ કે, “ઈ તો મેલી આત્માના સરદાર શેતાનની મદદથી મેલી આત્માઓને કાઢે છે.”


પછી ફરોશી ટોળાના લોકો અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે યરુશાલેમ શહેરમાંથી આવ્યા હતાં, તેઓ ઈસુની પાહે આવીને એને હાંભળવા હાટુ ભેગા થયા હતા.


પણ કેટલાક લોકોએ કીધુ કે, ઈસુ મેલી આત્માઓનો સરદાર જે શેતાન છે એની મદદથી મેલી આત્માઓને કાઢે છે.


એક દિવસ એવુ થયુ કે, ઈ પરચાર કરતો હતો, તઈ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકો અને શીખવાડનારા શાસ્ત્રીઓ ન્યા બેઠા હતાં, જે ગાલીલ અને યહુદીયા પરદેશના દરેક ગામડામાંથી અને યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, અને માંદાઓને હાજા કરવા હાટુ પરમેશ્વરનું સામર્થ્ય ઈસુની હારે હતું.


ઈ દિવસોમાં યરુશાલેમ શહેરમાં મંદિરને પ્રતિષ્ઠાને યાદ કરવાનો તેવાર હતો, અને શિયાળાનો વખત હતો.


ટોળામાંથી જવાબ દીધો કે, તને મેલી આત્મા વળગેલી છે! કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?


ઈ હાંભળીને યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “અમારું કેવું હાસુ છે કે, તુ સમરૂની પરદેશનો રેવાસી છે, અને તારામાં મેલી આત્મા વળગેલી છે.”


યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “હવે અમને પાકો વિશ્વાસ થય ગયો છે કે, તારામાં મેલી આત્મા છે. કેમ કે, ઈબ્રાહિમ અને આગમભાખીયા પણ મરી ગયા, અને તુ કેય છે કે, જો કોય માણસ મારા વચનના પરમાણે હાલશે, તો એનુ મોત ક્યારેય નય થાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ