અને શેતાને ઈસુને કીધુ કે, “જો તું પરમેશ્વરનો દીકરો હોય, તો પોતાની જાતને નીસે પછાડી દે; કેમ કે એમ શાસ્ત્રમાં લખેલુ છે કે, તારા વિષે પોતાના સ્વર્ગદુતને આજ્ઞા આપશે, અને તેઓ એને હાથો હાથ પકડી લેહે; કાક એવું થાય કે, તારા પગને પાણા હારે ઠેહ નો લાગે.”
ઘણાયમાંથી મેલી આત્માઓ પણ નીકળી, તેઓ રાડો પાડતા અને કેતા કે, “તુ પરમેશ્વરનો દીકરો છો.” એણે તેઓને બીવડાવ્યા, અને બોલવા દીધા નય કેમ કે, ઈ જાણતા હતાં કે, “ઈ તો મસીહ છે.”