તમે એને પરમેશ્વરની નિંદા કરતાં હાંભળ્યું છે. એની ઉપર તમારો શું નિર્ણય છે?” તેઓએ નિર્ણય કરયો કે, ઈસુ ઉપર પરમેશ્વરને નિંદા કરવાનો આરોપ હતો અને ઈ હાટુ એની સજા પરમાણે એને હવે મારી નાખવો જોયી.
યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એકબીજાની હારે અંદરો અંદર સરસા કરવા લાગ્યા કે, “આ માણસ અભિમાની છે અને આવું કયને પરમેશ્વરની નિંદા કરે છે! આપડે બધાય જાણી છયી કે, પરમેશ્વર સિવાય બીજો કોય પણ પાપોની માફી આપી હક્તો નથી.”
યહુદી લોકોના આગેવાનોએ એને જવાબ દીધો કે, “કોય પણ હારા કામોના કારણે અમે તારી ઉપર પાણા નથી મારતા, પણ ઈ હાટુ કે તુ પરમેશ્વરની નિંદા કરે છે, અને ઈ હાટુ કે, તુ માણસ થયને પણ પોતાની જાતને પરમેશ્વર માંને છે.”