પછી ઈસુ અને એના ચેલાઓ ન્યાથી વયા ગયા અને પછી તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયા. ઈ એક ઘરમાં વયો ગયો અને ઈ નોતા ઈચ્છતા કે, કોય જાણે કે ઈ ન્યા રોકાણા હતા.
ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.”
જઈ એણે આ હાંભળ્યું કે, ઈસુ યહુદીયા પરદેશમાંથી ગાલીલ જિલ્લામાં આવી ગયો છે, તો ઈ એની પાહે આવ્યો, અને વિનવણી કરવા લાગ્યો કે, આવીને મારા દીકરાને હાજો કરી દેય કેમ કે, ઈ મરવાની અણી ઉપર છે.