12 ઈ દિવસો પછી, ઈસુ પોતાના બે ચેલાઓને દેખાણો, જઈ તેઓ યરુશાલેમથી આજુ બાજુના નગરોમાં હાલીને પોતાના ઘરે જાતા હતા. પણ તેઓ એને તરત ઓળખી નો હક્યાં કેમ કે, ઈ બીજા રૂપમાં બે ચેલાઓને જોવા મળ્યો હતો.
એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,