ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.
તઈ તરત બીજીવાર કુકડો બોલ્યો અને પિતરને ઈસુએ કીધેલી ઈ વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બીજીવાર બોલ્યા અગાવ તુ મારો ત્રણ વાર નકાર કરય.” જઈ પિતર પોતાના દુખને કાબુ નો કરી હક્યો તઈ ઈ કુટી કુટીને રોવા લાગ્યો કેમ કે, ઈ દુખી હતો કે એણે ઈસુને નકાર કરી દીધો હતો.