6 હવે દરેક તેવાર વખતે, પિલાત સદાય કોય એક કેદીને જેને તેઓ ઈચ્છતા હતાં, તેઓની હાટુ એક કેદીને છોડી દેતો હતો.
તમે જાણો છો કે, હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસ પછી સાલું થાવાનો છે, અને હું માણસનો દીકરો જેને વધસ્થંભ ઉપર જડાવવા હાટુ હોપી દેવામાં આયશે.
પણ તેઓએ કીધુ કે, “તેવારના વખતે નય, નકર ક્યાક એવું નો થાય કે, લોકોમાં બબાલ થાય.”
ઈ વખતે બારાબાસ નામનો એક માણસ જે બળવાખોરોની હારે જેલખાનામાં હતો, જેણે રોમી સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા.
પણ પિતર બારે કમાડ પાહે જ ઉભો રયો. તઈ ઈ બીજો ચેલો જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો ઈ બારે ગયો, અને કમાડ પાહે ધ્યાન રાખનારી નોકરાણીને ક્યને પિતરને અંદર લય ગયો.
પિલાતે ઈસુને વધસ્થંભે જડવા હારું રોમના સિપાયોને હોપ્યો. પછી તેઓ એને લય ગયા.
પણ જઈ બેય વરહ વયા ગયા તો ફેલિકસની જગ્યાએ પોર્કિયસ ફેસ્તસ રાજ્યપાલ બની ગયો, અને ફેલિકસ યહુદીને રાજી કરવા કે ઈચ્છાથી પાઉલને જેલખાનામાં મુકી ગયા.
તઈ ફેસ્તસે યહુદી લોકોના આગેવાનોને રાજી કરવાની ઈચ્છાથી પાઉલને પુછયું કે, “શું તુ યરુશાલેમ શહેરમાં જાવા માગે છે કે, ન્યા મારી હામે તારો આ ન્યાય કરવામા આવે?”