3 અને મુખ્ય યાજકો એની ઉપર ઘણીય વાતોનો આરોપ લગાડતા હતા.
જઈ મુખ્ય યાજકોએ અને વડીલોએ એની ઉપર આરોપ મુક્યા, છતાં પણ ઈસુએ કાય જવાબ દીધો નય.
અને પિલાતે એને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છો?” ઈસુએ એને જવાબ આપ્યો કે, “તુ હાસુ કય રયો છો, કે, હું છું.”
પિલાતે ફરી એને પુછયું કે, “શું તુ કાય જવાબ જ નથી દેતો, જો આ તારી ઉપર કેટલા બધાય આરોપો લગાડે છે?”
ઈસુએ શાંતિ રાખી અને કાય જવાબ દીધો નય, જેથી પિલાતને ઘણીય નવાય લાગી.
ઈ હાટુ પિલાતે એને છોડી દેવાની કોશિશ કરી, પણ યહુદી લોકોએ રાડો પાડી પાડીને કીધું કે, “જો તુ એને છોડી દેય, તો તુ રોમી સમ્રાટનો મિત્ર નથી જે કોય પોતાની જાતને રાજા માનતો હોય, ઈ રોમી સમ્રાટનો દુશ્મન છે.”