તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
જઈ મુખ્ય યાજકો અને મંદિરના રખેવાળોએ એને જોયને રાડ નાખી, “એને વધસ્થંભ ઉપર સડાવી દયો! એને વધસ્થંભ ઉપર સડાવી દયો.” પિલાતને એણે કીધું કે, “એને તમે લય જાવ અને વધસ્થંભ ઉપર સડાવી દયો. મે તો આમાં કાય ગુનો જોયો નથી.”
પણ જઈ તેઓએ જાણી લીધું કે તેઓ યહુદી છે (યહુદી લોકો, મસીહી લોકોની જેમ મૂર્તિપૂજા નથી કરતાં) તો ટોળાના બધાય લોકો એક હારે લગભગ બે કલાક લાગી રાડો નાખતા રયા, “એફેસી શહેરની આર્તેમિસની દેવીની જય!”