Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 14:61 - કોલી નવો કરાર

61 પણ ઈ મૂંગો રયો, અને કાય જવાબ નો દીધો. પણ પ્રમુખ યાજકે એને પાછુ પુછયું કે, “શું તુ મહિમાવાન પરમેશ્વરનો દીકરો મસીહ છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 14:61
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ સિમોન પિતરે જવાબ આપતા કીધુ કે, “તમે મસીહ, જીવતા પરમેશ્વરનાં દીકરા છો.”


અને સ્વર્ગમાંથી એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, જેનાથી હું બોવ રાજી છું.”


જુઓ, એણે રાડો પાડીને કીધુ કે, “ઓ પરમેશ્વરનાં દીકરા, તારે મારી હારે શું કામ છે? વખત પેલા તું અમને દુખ દેવા આયા આવ્યો છો?”


પછી પ્રમુખ યાજકે મહાસભાની હામે ઉભા થયને ઈસુને પુછયું કે, “શું તું કાય જવાબ કેમ દેતો નથી? આ લોકો તારી વિરુધમાં સાક્ષી આપે છે.”


અને પિલાતે એને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છો?” ઈસુએ એને જવાબ આપ્યો કે, “તુ હાસુ કય રયો છો, કે, હું છું.”


“મે જોયો છે અને મે તમને સાક્ષી આપી છે કે, આજ પરમેશ્વરનો દીકરો છે.”


તઈ યહુદી લોકોના આગેવાનોએ આવીને એને ઘેરી લીધો અને પુછયું કે, “તુ અમને ક્યા હુધી વેમમાં રાખય? જો તુ મસીહ છો, તો અમને હાસે હાસુ કય દે.”


તો શું તમે એને આમ કયો છો જેને બાપે પવિત્ર ઠેરાવીને જગતમાં મોકલ્યો છે, તમે નિંદા કરો છો; કેમ કે, મે કીધું કે, હું પરમેશ્વરનો દીકરો છું;


આની ઉપરથી પિલાતે એને કીધું કે, તો તુ રાજા છો? ઈસુએ જવાબ દીધો કે, “તમે જ કયો છો કે, હું રાજા છું હું ઈ હાટુ જનમો અને ઈ હાટુ જગતમાં આવ્યો છું કે, હાસની વિષે સાક્ષી દવ. જે બધુય હાસનું છે, ઈ મારી વાણી હાંભળે છે.”


યહુદીઓના આગેવાનોએ એને જવાબ દીધો કે, “અમારો પણ એક નિયમ છે, અને ઈ નિયમના પરમાણે ઈ મારી નાખવાને લાયક છે, કેમ કે એને પોતાની જાતને પરમેશ્વરનો દીકરો હોવાનો દાવો કરયો છે.”


એણે પાછો રાજભવનની અંદર જયને ઈસુને પુછયું કે, “તુ ક્યા નો છો?” પણ ઈસુએ એને જવાબ દીધો નય.


શાસ્ત્રનો જે પાઠ વાસી રયો હતો, ઈ આ હતો, “ઈ ઘેટાની સમાન મારી નાખવા હાટુ લય જવામાં આવ્યો, અને જેમ ઘેટું પોતાનુ ઊન કાપનાર પાહે સાનોમનો ઉભો રેય છે. ઈ જ લોકોએ એને દુખ દીધા, તો પણ મોઢામાંથી એક પણ શબ્દ કાઢયો નય.


આ હાસુ શિક્ષણ અદભુત પરમેશ્વરની મહિમા વિષે હારા હમાસારથી સહમત થાય છે, જેણે મને પરચાર કરવાની જવાબદારી આપી છે.


પરમેશ્વર જે મહિમાવાન અને એકમાત્ર રાજ કરનારો અને રાજાઓનો રાજા અને પરભુઓનો પરભુ છે, ઈ જ ઈસુ મસીહને ખરા વખતે પાછો મોકલશે.


જઈ લોકોએ ઈસુનું અપમાન કરયુ, તો એણે બદલામાં તેઓનું અપમાન નથી કરયુ. જઈ લોકોએ એને પીડા દીધી, તો એણે બદલામાં ધમકી દીધી નય. એની બદલે એણે નક્કી કરયુ કે, પરમેશ્વર જ સાબીત કરે કે, ઈ નિરદોષ હતો, જે સદાય હાસી રીતે ન્યાય કરે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ