બે દિવસ પછી, પાસ્ખા તેવારના પેલા દિવસે, જઈ તેઓ તેવાર હાટુ ઘેટાનું બલિદાન કરતાં હતાં, ચેલાઓએ ઈસુને પુછયું કે, “તમે અમને ક્યા મોકલવા માગો છો કે, પાસ્ખા તેવાર હાટુ અમે ખાવાનું તૈયાર કરી જેથી આપડે એને ખાય હકી?”
કેમ કે, રૂપીયા કમાવાની લાલસ બધાય પરકારના ખોટા કામોનું મુળ છે, રૂપીયા કમાવાના લોભથી ઘણાય બધાય લોકોએ વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે, અને તેઓ પોતે જુદા-જુદા પરકારના દુખ સહન કરે છે.
પરમેશ્વર ઈ લોકોને બોવ જ કઠણ સજા દેહે જે આવા કામ કરે છે ઈ એવો વ્યવહાર કરે છે જેવું કાઈને કરયુ ઈ એમ જ પાપ કરે છે જેવું પાપ બલામે રૂપીયા હાટુ કરયુ હતું અને ઈ કોરાહની જેમ મરી જાહે જેણે મૂસાની વિરુધ બળવો કરયો.